સોખડા સ્વામીનારાયણ મંદિરના વિવાદને લઈ હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. જેમાં હાઈકોર્ટે 180 સંતોને સાંભળ્યા છે. હાઈકોર્ટે સુનાવણીમાં નોંધ્યુ છે કે, 4 મહિનામાં સંતોને ખરાબ રીતે હેરાન કરવામાં આવ્યા છે. કોર્ટે આદેશ કર્યો છે કે, મહિલાઓને નિર્ણયનગર સંત નિવાસ કેમ્પમાં રાખવામાં આવે તથા તમામ સંતો અને હરિભક્તોના પાસપોર્ટ સહિતના પુરાવા જમા કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, સોખડા સ્વામીનારાયણ મંદિરમાં હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ તેમની ગાદીને લઈ હરિભક્તોમાં તથા સંતોમાં સંગ્રામ તેજ બન્યો છે.
સમાધાનનું વલણ બંને પક્ષ દાખવે: હાઈકોર્ટ
એવામાં મંદિરના સાધુ સંતોનો વિવાદ છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીનુ જૂથ ગાદી પ્રાપ્ત કરવા માટે આમને સામને આવી ગયુ હોવાથી કોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, પ્રેમસ્વામી, ત્યાગસ્વામી અને પ્રબોધસ્વામી સમાધાનનુ વલણ દાખવે. આપને જણાવી દઈયે કે, ગાદી પ્રાપ્ત કરવા પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જેથી જૂથ વિવાદને પગલે પ્રબોધ સ્વામી સહિતના અન્ય સંતોએ હરિધામ છોડવાનો નિર્ણય લીધો હતો.
ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ
હરિધામ મંદિર મેનેજમેન્ટે મંદિર પરીસરમાં જાહેર નોટિસો લગાવવામા આવી હતી કે જેમાં જણાવ્યું છે કે, જે સંતો, સાધકો, સાધ્વી બહેનો અને સેવકો અગામી દિવસોમાં હિરધામ સોખડા છોડીને અન્યત્ર જવા માગતા હોય તેઓએ નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને જ જવુ. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર હરિધામ સોખડા પરિસર છોડવાની મંજૂરી મળી શક્શે નહી. જે બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં ગુજરાત હાઇકોર્ટે આદેશ આપતા સોખડા હરિધામ વિવાદમાં આ સંતોને 4 મહિનામાં ખરાબ રીતે હેરાન કર્યા છે તેવી નોંધ લેતા હુકમ કર્યો છે કે આણંદના બાકરોલ આશ્રમમાં લઇ જવા તેમજ મહિલાઓને નિર્ણય નગર સંત નિવાસ કેમ્પસમાં રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
પ્રબોધ સ્વામી હરિધામ છોડતા હરિભક્તો ભાવુક થયા
સોખડા ખાતે આવેલા સ્વામિનારાયણ સંસ્થાના હરિધામની ગાદી માટે પ્રેમ સ્વરુપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહમાં આખરે આજે પ્રબોધ સ્વામી અને તેમના જૂથના સંતો તથા સાધકોએ આજે હરિધામ છોડવાનો નિર્ણય લઈ લીધો છે. હરિભક્તોએ જ્યારે પ્રબોધ સ્વામીને મંદિર છોડી નીકળતાં જોયા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં.
200થી 250 જેટલા સંતો-સાધકોએ ભાવુક થઈને મંદિર છોડ્યું
મહત્વનું છે કે, યોગી ડિવાઇન સોસાયટી અને હરિધામ પર વર્ચસ્વની આ લડાઇ દિવસે દિવસે તેજ બની રહી હતી. જેમાં મહિલા સાધકો અને મહિલા સત્સંગી મંડળો દ્વારા પણ ગંભીર આક્ષેપો થવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વિવાદમાં ધાર્મિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા પણ સમાધાનના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ નિષ્ફળ ગયા હતા. તેવામાં આજે પ્રબોધ સ્વામી સહિત હરીધામમાં નિવાસ કરતાં 200થી 250 જેટલા સંતો-સાધકોએ સોખડા પ્રબોધ સ્વામીના જૂથોના હરિભક્તો ભાવુક થઈને સામાન સાથે મંદિર છોડ્યું હતું.
પ્રબોધ સ્વામી જૂથના સંતોએ ગોંધી રાખ્યા હોવાનો કર્યો હતો દાવો
સોખડા હરિધામ મંદિરનો વિવાદ લઈને પ્રેમસ્વરૂપ સ્વામી સંતોને લઈને કોર્ટમાં પહોંચ્યા હતાં. તમને જણાવી દઈએ કે, પ્રબોધ સ્વામી જૂથના સંતોએ ગોંધી રાખ્યા હોવાનો દાવો કર્યો હતો. જેને લઈને હાઈકોર્ટે પોલીસે આજે આ તમામ સંતોને તાત્કાલિક મંદિરમાં છોડાવાની હાઈકોર્ટમાં રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
સોખડા મંદિરનો વિવાદ શું છે?
હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ સોખડામાં ગાદીનો ચાલી રહ્યો છે વિવાદ
ગાદી પ્રાપ્ત કરવા પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે
જૂથ વિવાદના કારણે પ્રબોધ સ્વામી સહિત અન્ય સંતોએ હરિધામ છોડવાનો નિર્ણય લીધો
સંતો મંદિર છોડે તે પહેલા મેનેજમેન્ટે એક નોટિસ લગાવી તે વિવાદનું કારણ બની
કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના હરિધામ છોડવાની મંજૂરી ન હોવાનો ઉલ્લેખ
હાલમાં મંદિરનો માત્ર એક જ ગેટ ખુલ્લો
બહારના લોકો માટે મંદિર પ્રવેશ પર લગાવાયો છે પ્રતિબંધ
પ્રબોધ સ્વામી સહિતના 250 સંતો-સાધકો હરિધામ છોડવાની કરી ચૂક્યા છે જાહેરાત