હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર જાણે વિવાદનું ઘર બની ગયું છે. સેવકના માર માર્યાના મામલાથી અંદરોઅંદરની ખેંચતાણ બાદ હવે રૂપિયાના વહીવટને લઈને પણ મોટા આરોપ થઈ રહ્યા છે.
હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો મામલો
વિદેશમાં વસતા હરિભક્તની વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ
ફૂઆ તમે કહો છો, આપણે બધું ઢાંકવાનું છે, પણ રૂ. 500 કરોડ ન ઢંકાય
હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરનો ફરી વિવાદ સામે આવ્યો છે. વિદેશમાં વસતા કોઇ હરિભક્તની વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. વિદેશમાં રહેતા હરિભક્તે મંદિરના વહિવટ કરતા અને ફુઆ તરીકે ઓળખાતા વ્યક્તિ સાથે વાત કરી પોતાની વ્યથા ઠાલવી છે. આ ઓડિયોમાં તેમણે જણાવ્યુ છે કે સ્વામીનું કોઈને દુઃખ નથી, બધા ભેગુ કરેલું સગેવગે કરી દેવામાં પડ્યા છે. ફૂઆ તમે કહો છો, આપણે બધું ઢાંકવાનું છે, પણ રૂ. 500 કરોડ ન ઢંકાય. અશોકભાઈ અને બધા સ્વતંત્ર વર્તે છે. હમણાં 35-35 લાખની બે ઇનોવા છોડાવી છે. આ પ્રકારના ગંભીર આક્ષેપ સાથે ઓડિયોમાં બળાપો વ્યક્ત કર્યો છે.
મંદિરના રૂપિયા વ્યાજે આપી દીધા? ઓડિયો ક્લિપમાં મોટો ધડાકો
બધા યુવકોના થોડા પ્રશ્નોને એટલે પૂછીએ છીએ ફુઆ, તમે જે કહ્યું હતું કે સ્વામીજીએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે વિદ્યાનગર રહેવું છે. તમે આ વાત અમને કરી હતી. તો એક ભાઈને એવો પ્રશ્ન થયો કે શું સ્વામીજી એમના દિકરા દીકરીને છોડી વિદ્યાનગર રહેત. અને જો ઈચ્છા જ હતી તો વિદ્યાનગર કેમ ન રોકાયા? આ કોયડો ઉકેલવો જરૂરી.. અને પછી એ બનવવા માટે હરિભક્તોએ રૂપિયા આપ્યા એ બધા પૈસા આપડે લોકોને વ્યાજે આપ્યા. અને એવા લોકો પહેલા તમે 25 કરોડ આપ્યા પછી 5 કરોડ પછી 2.5 કરોડ તમારું કહેવું એમ છે કે સામે 17 કરોડની જમીન પણ લખી આપી છે. આવા તો 3 4 અન્ય વહીવટ પણ છે.. વીડિયો ક્લિપમાં ફૂઆ તમે કહો છો, આપણે બધું ઢાંકવાનું છે, પણ રૂ. 500 કરોડ ન ઢંકાય એવી વાત થઈ છે જે મોટા વહીવટી કૌભાંડ તરફ ઈશારો કરી રહી છે.
સેવકને માર મારવા મુદ્દે પણ કાર્યવાહી
સોખડા મંદિરના સેવક અનુજ ચૌહાણને માર મારવાને મામલે પોલીસે આખરે કાર્યવાહી હાથ ધરી હતી. સોખડા મંદિરના 5 સંતો અને 2 સેવકોની કોરોના ટેસ્ટ બાદ અટકાયત કરી હતી.પોલીસ ફરિયાદ બાદ સંતો પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા, 2 સેવકો પણ સાથે હતા. પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી