સોખડા હરિધામ મંદિરમાં હરિભક્ત અનુજ નામના શખ્સને માર મારવાની ઘટના બાદ મંદિરના વહિવટમાં ચાલતો જૂથવાદ સામે આવી ગયો છે.
હરિધામમાં નવા ગાદીપતિના વિવાદનો મામલો
અક્ષર નિવાસી હરિપ્રસાદ સ્વામીનો એક વીડિયો
વીડિયોમાં વારસદાર અંગે વાત કરી રહ્યાં છે
સોખડા હરિધામમાં નવા ગાદીપતિના વિવાદનો મામલો
સોખડા હરિધામ મંદિરમાં હરિભક્ત અનુજ નામના શખ્સને માર મારવાની ઘટના બાદ મંદિરના વહિવટમાં ચાલતો જૂથવાદ સામે આવી ગયો છે. અને બે જૂથોએ સામ સામે મોરચો માંડી દેતા વિવાદ બીજી તરફ ફંટાયો છે. ત્યારે હાલ સોખડા હરિધામનો એક વીડિયો હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં અક્ષર નિવાસી હરિપ્રસાદ સ્વામી વારસદાર વાત કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં સ્વામી હરિપ્રસાદ વારસદાર અંગે વાત કરી રહ્યાં છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું તમને અધ્ધરતાલ મુકીને નહીં જાઉં, બે સંતોને જવાબદારી સોંપીને જવાનો છું.
પ્રેમસ્વરૂપ સ્વામીને પણ હરિપ્રસાદ સ્વામીએ કહ્યું હતું તારે બોલતા શીખવાનું છે
આ વાયરલ વીડિયો અનુસાર હરિપ્રસાદ સ્વામીએ તેમના પછી સૌરાષ્ટ્રની જવાબદારી ત્યાગવલ્લભ સ્વામીને સોંપી હતી. જ્યારે અમદાવાદથી મુંબઇ સુધીની જવાબદારી પ્રેમસ્વરૂપ સ્વામીને સોંપી હતી. આ સાથે પ્રબોધ સ્વામી માટે પણ વીડિયોમાં હરિપ્રસાદ સ્વામી બોલ્યાં હતા તારે ધીમું પડવાની જરૂર છે, આડેધડ બોલે છે આ સાથે પ્રેમસ્વરૂપ સ્વામીને પણ હરિપ્રસાદ સ્વામીએ કહ્યું હતું તારે બોલતા શીખવાનું છે
કોરોના ગાઇડલાઇનના નામે વિવાદ દબાવવાનો પ્રયાસ
બીજી તરફ હરિધામ સોખડા મંદિરનો વિવાદનો મામલો સામે આવતાં કોરોના ગાઇડલાઇનના નામે સોખડા મંદિરના સંચાલકોએ દર્શનાર્થીઓ માટે મંદિરના ગેટ બંધ કરી દીધા છે. હરિધામ સોખડામાં કોઇ પણ વ્યક્તિને બહારથી અંદર પ્રવેશ નથી અપાઇ રહ્યો. જો કે લોકોના મુખે મંદિરમાં ગાદીપતિ માટેનું ધર્મયુદ્ધ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. મંદિરમાં સંતો અને અનુયાયીઓ બે ભાગમાં વહેંચાયા છે. તેમજ ગાદી માટે બંધ મંદિરમાં ખેંચમતાણી હોવાની ચર્ચા પણ લોકોમાં ઉઠવા પામી છે. બીજી તરફ મંદિરના સંતો પર મહિલા સેવિકાઓએ ગંભીર આક્ષેપ લગાવ્યાં હતાં
સેવક અનુજ ચૌહાણ આજે પોલીસ સમક્ષ હાજર થયો
સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સેવકને માર મારવાનો મામલો અનુજ ચૌહાણ આજે તાલુકા પોલીસ સમક્ષ પોતાનું નિવેદન લખાવવા હાજર થયો હતાં. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસથી અનુજ ઉતર્યો ભૂગર્ભમાં હતો. બજી તરફ પોલીસે અનુજ હાજર ન થતા 3 વાર ઘરે નોટિસ ચોંટાડી હતી