હરિધામ સોખડા મંદિરનો વિવાદ હવે પોતાની પરાકાષ્ઠા સુધી પહોંચી ગયો છે. વિવાદનો મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.
સોખડા હરિધામ મંદિર વિવાદ મુદ્દે સંતોને આજે કોર્ટમાં રજૂ કરાશે
પ્રબોધ સ્વામી જૂથના સંતોએ કરી હતી અરજી
સંતોએ પોતાને મંદિરમાં બંધક બનાવ્યાનો આરોપ લગાવ્યો હતો
વિવાદ વકરતા મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો
સોખડા હરિધામ મંદિર વિવાદ મુદ્દે સંતોને આજે કોર્ટમાં રજૂ કરાશે
વડોદરા હરિધામ સોખડા મંદિરનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. સોખડા મંદિરમાં 400થી વધુ હરિભક્તો, સાધુ-સંતોને ગોંધી રખાયાની ફરિયાદ કરવામાં આવી છે. જેને લઈને ગુજરાત હાઈકોર્ટે પોલીસને આદેશ કર્યો છે કે, તમામ બંધકોને તાત્કાલિક છોડાવીને કોર્ટમાં હાજર કરવામાં આવે.મહત્વનું છે કે, રૂપિયા 10 હજાર કરોડની સંપત્તિ પચાવી પડવા મામલે વિવાદ હજી ચાલુ છે
ગઈકાલે પ્રબોધ સ્વામી જૂથના સંતોએ મંદિર છોડવાની જાહેરાત કરી હતી
યોગી ડિવાઇન સોસાયટી અને હરિધામ પર વર્ચસ્વની આ લડાઇ દિવસે દિવસે તેજ બની રહી હતી. જેમાં મહિલા સાધકો અને મહિલા સત્સંગી મંડળો દ્વારા પણ ગંભીર આક્ષેપો થવા લાગ્યા હતા. ધાર્મિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા પણ સમાધાનના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ નિષ્ફળ ગયા હતા. તેવામાં આજે પ્રબોધ સ્વામી સહિત હરીધામમાં નિવાસ કરતાં 200થી 250 જેટલા સંતો-સાધકો કામરેજ ભરથાણ ખાતે આવેલી આત્મીય સ્કૂલ ખાતે જવા રવાના થશે.
મંદિર મેનેજમેન્ટે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર મંદિર નહીં છોડવા નોટિસ આપી
બીજી તરફ હરિધામ મંદિર મેનેજમેન્ટે મંદિર પરીસરમાં જાહેર નોટિસો લગાવવામા આવી છે કે જેમાં જણાવ્યું છે કે, જે સંતો, સાધકો, સાધ્વી બહેનો અને સેવકો અગામી દિવસોમાં હિરધામ સોખડા છોડીને અન્યત્ર જવા માગતા હોય તેઓએ નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને જ જવુ. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર હરિધામ સોખડા પરિસર છોડવાની મંજૂરી મળી શક્શે નહી.