વીડિયો કોલથી પ્રેમ સ્વરૂપ સ્વામીએ હરિભક્તો સાથે સંવાદ કર્યો હતો અને કહ્યું હતું કે સામેથી બે પાંચ લૂંટી લાવવા પણ તમે અડગ રહેજો
સોખડા હરિધામ મંદિરનો વિવાદ યથાવત
પ્રેમસ્વરૂપ સ્વામીનો વીડિયો થયો વાયરલ
કેનેડાના હરિભક્તો સાથે કર્યો સંવાદ
તાજેતરમાં ત્યાગવલ્લભ સ્વામીએ ગાદીપતિ તરીકે પ્રેમસ્વામીની જાહેરાત કરતાં વિવાદ ઉભો થયો છે. આ જાહેરાતથી ચરોતરના હરિભક્તોમાં ખૂબ જ રોષ ભડક્યો હતો. જેના પગલે નાવલી ગામે મુંબઇથી કચ્છ-ભુજ સુધીના એક હજાર હરિભક્તો એકત્ર થયાં હતાં અને અગાઉ નક્કી થયા મુજબ બન્ને સંતો સાથે કામ કરે તેવી માંગણી કરવામાં આવી હતી.ત્યારબાદ પ્રેમસ્વરૂપ સ્વામી હરિભક્તોને પોતાની પડખે રાખવા હરિભક્તોને મનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. તે સમયે કેનેડાના હરિભક્તો સાથે થયેલી વાતચીતનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામીએ હરિભક્તોને સૂચન આપી રહ્યા છે કે આપણામાંથી કોઇ ખરવો ન જોઇએ સામેથી બે પાંચ લૂંટી લાવવા....હજુ પણ ગાદી માટેનો ખરાખરીનો જંગ યથાવત હોય તેવુ આ વીડીયો પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે.
પ્રેમસ્વરૂપ સ્વામીએ હરિભક્તોને શું સલાહ આપી
પ્રેમસ્વરૂપ સ્વામી વીડિયોમાં સોખડા સંપ્રદાયના હરિભક્તોને સલાહ આપી રહ્યા હતા કે 'હવે તે લોકો બ્રિટિશ પોલીસી કરશે આપ સૌને તોડવાની એટલે આપણા માંથી એક પણ ખરવો ન જોઈએ એવું નક્કી કરો. 2 5 લૂટી લાવવાના ખરા પણ આપણા માંથી કોઈ જવું ન જોઈએ. તમે બધા જ પકડી રાખજો આ વાતને ખૂબ ખૂબ ધન્યવાદ'
પ્રેમસ્વામી, પ્રબોધસ્વામી સાથે સત્સંગ આગળ ધપાવે: હરિભક્તો
આણંદમાં હરિધામ સોખડા ગાદીપતિની નિમણૂંકમાં ફરિ પાછા વિવાદના મંડાણ થયા છે.પ્રેમસ્વરૂપ સ્વામીની ગાદીપતિ તરીકે જાહેરાતથી હરિભક્તોમાં ઉભા બે ફાડિયા થયા છે. ચરોતરના લાખો હરિભક્તોમાં પ્રેમસ્વરૂપના નામનો ભારે વિરોધ થઇ રહ્યો છે. હરિભક્તોની એવી લાગણી છે કે,પ્રેમસ્વામી, પ્રબોધસ્વામી સાથે સત્સંગ આગળ ધપાવે. ગાદીપતિનાં નામથી નાવલી અને બાકરોલ ખાતે હરિભક્તોના મેળાવડામાં માંગ ઉઠી હતી. ત્યાગવલ્લભ સ્વામીની જાહેરાત બાદ હરિભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ગત જુલાઈના અંતમાં હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી મોડી રાતે અક્ષર નિવાસી થતાં ભક્તો શોક મગ્ન બન્યા હતા. આ વચ્ચે જ હવે મંદિરના નવા ગાદીપતિને લઈ ચર્ચાઓ શરૂ થઈ હતી જેમાં સતત વિવાદ થતાં ભક્તોની લાગણીઓ પણ દુભાઈ છે.
સોખડામાં વહીવટનો જૂથવાદ
હરિધામ મંદિરમાં હરિભક્ત અનુજ નામના શખ્સને માર મારવાની ઘટના બાદ મંદિરના વહિવટમાં ચાલતો જૂથવાદ સામે આવ્યો હતો અને બે જૂથોએ સામ સામે મોરચો માંડી દેતા વિવાદ બીજી તરફ ફંટાયો હતો. ત્યારે હાલ સોખડા હરિધામનો એક વીડિયો ઘણો જ વાયરલ થયો હતો. જેમાં અક્ષર નિવાસી હરિપ્રસાદ સ્વામી વારસદાર વાત કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં સ્વામી હરિપ્રસાદ વારસદાર અંગે વાત કરી રહ્યાં છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું તમને અધ્ધરતાલ મુકીને નહીં જાઉં, બે સંતોને જવાબદારી સોંપીને જવાનો છું. જે બાદ ઉલ્લેખનીય છે કે, જે તે સમયે જ નવા ગાદીપતિ કોણ બનશે તેને લઈને ચાલેલી ચર્ચામાં સૌથી વડીલ સંત પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નામ હાલ અગ્રેસર છે. તો ત્યાગવલ્લભ સ્વામીનું નામ પણ ચર્ચામાં છે. આ સાથે જ એક તરફ એવી વાતો પણ ચાલી રહી છે કે, હરિધામ સોખડા મંદિરના દિવંગત ગાદીપતિ હરિપ્રસાદ સ્વામીએ પોતાના ઉત્તરાધિકારીનું નામ સૂચવ્યું છે.