દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યુપીની રાજધાની લખનઉમાં ચૂંટણી રેલીને સંબોધન કરીને ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અલગ તેવર
લખનઉમાં ચૂંટણી રેલીને સંબોધતા ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર
કહ્યું, હું તો ભ્રષ્ટાચારીઓને ડરાવનાર આતંકી છું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લખનઉની ચૂંટણી રેલીમાં અમિતાભ-ધર્મેન્દ્રની મશહૂર ફિલ્મ શોલેનો એક ડાયલોગ ફટકારીને ભ્રષ્ટાચારીઓ પર આકરા વાર કર્યાં. કેજરીવાલે કહેલા શોલે ફિલ્મનો એક ડાયલોગ સાંભળીને રેલીમાં હાજર રહેલા લોકો હસી હસીને ગાંડા થયા હતા.
#WATCH | ...Kejriwal is a terrorist who scares the corrupt...There is a dialogue from Sholay movie..."Jab baccha bhrashtachar karta hai toh maa kehti hai soja beta varna Kejriwal aajayega...": AAP convenor Arvind Kejriwal in Lucknow, UP pic.twitter.com/tb0ydWMplh
કેજરીવાલ ભ્રષ્ટાચારીઓને ડરાવનાર આતંકી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ-ભાજપના હુમલાનો જવાબ આપતા કહ્યું કે કેજરીવાલ એ આતંકી છે જે ભ્રષ્ટાચારીઓને ડરાવે છે. સીએમ કેજરીવાલે શોલે ફિલ્મના સંવાદોનો પણ સહારો લીધો હતો.
શોલે ફિલ્મનો આ મશહૂર ડાયલોગ ફટકાર્યો કેજરીવાલે
સીએમ કેજરીવાલે કહ્યું કે, "આતંકીઓ બે પ્રકારના હોય છે. એક તો લોકોને ડરાવે છે અને એક તો ભ્રષ્ટાચારીઓને ડરાવનારો આતંકવાદી છે. કેજરીવાલ એ આતંકવાદી છે જે ભ્રષ્ટાચારીઓને ડરાવે છે. શોલે ફિલ્મનો એક ડાયલોગ છે, જ્યારે બાળક 100-100 માઇલ સુધી ભ્રષ્ટાચાર કરે છે, ત્યારે માતા તેના બાળકને કહે છે કે સુઈ જા બેટા નહીં તો કેજરીવાલ આવશે. આ ડાયલોગ બાદ રેલીમાં હાસ્યનુ મોજૂ ફેલાયું હતું.