મુંબઇ: બોમ્બે હાઇકોર્ટે સોહરાબુદ્દીન શેખ મુઠભેદ મામલે વિવાદસ્પદ અધિકારી ડીજી વણઝારા સહિત ગુજરાત અને રાજસ્થાનના પાંચ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને મોટી રાહત આપતા નીચલી કોર્ટે એ ચુકાદાને યથાવત રાખ્યો જેમાં એ પાંચ આરોપીઓને મુક્ત કરી દેવામાં આવ્યા છે.
જણાવી દઇએ કે નીચલી કોર્ટે પહેલા ગુજરાત એટીએસ પ્રમુખ ડીજી વણઝારા ગુજરાતના આઇપીએસ અધિકારી રાજકુમાર પાંડિયન એનકે અમીન રાજસ્થાનના આઇપીએસ અધિકારી દિનેશ એમએન અને પોલીસ કોન્સ્ટેબલ દલપત સિંહ રાઠોડને મુક્ત કરી દીધા હતા.
સોહરાબુદ્દીન શેખ મુઠભેદ મામલે આ પોલીસ અધિકારીઓને નીચલી કોર્ટે મુક્ત કરી દીધા હતા. લોઅર કોર્ટમા આ નિર્ણયથી બોમ્બે હાઇકોર્ટમાં પડકાર ફેંકાયો હતો.
આરોપી પોલીસ અધિકારીઓને મળેલી રાહતને યથાવત રાખતા ઉચ્ચ કોક્ટે ગુજરાતના આઇપીએસ અધિકારી વિપુલ અગ્રવાલને પણ મુક્ત કરી દીઘા જેને મુક્ત કરવાની અરજી નીચલી કોર્ટે પહેલા જ ફગાવી દીધી હતી.
આ મામલો સોહરાબુદ્દીન શેખ અને એમની પત્ની કૌસર બી ની નકલી મુઠભેદના નામ પર હત્યા કરવાથી જોડાયેલો છે.