પિંગલવાડાના જોડાયેલ ભાઈઓ SOHNA MOHNA ને PSPCL માં નોકરી મળી ગઈ છે. હવેથી તેઓ અધિકારી તરીકે એક ઓફિસમાં કામ કરશે. જાણો તેમની સફળતાની આ કહાની
અમૃતસરના આ પ્રેમાળ ભાઈઓ એકબીજા સાથે મનથી અને તનથી જોડાયેલા છે. એકબીજા સાથે જોડાયેલા જોડિયા ભાઈઓ સોહના-મોહનાએ એક નવું પરાક્રમ કરી બતાવ્યું છે. તેઓને હવે પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશનમાં જોબ મળી ગઈ છે.
પિંગલવાડાના રહેવાસીઓ SOHNA MOHNA કે જેમણે ITIમાંથી ડિપ્લોમા ઇલેક્ટ્રીશિયનનો અભ્યાસ કર્યો છે, તેઓ બુધવારે આવેલી 66-KV PSPCL ઑફિસમાં નિયમિત ટી મેટ (RTM) તરીકે સત્તાવાર રીતે તેઓની ફરજમાં જોડાયા હતા. તેઓ સપ્લાય કંટ્રોલ રૂમમાં કામ કરશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
20 હજાર રૂપિયા પગાર
જોડિયા બાળકોને શરૂઆતમાં ₹20,000નો માસિક પગાર મળશે. આ મુદ્દે PSPCL CMD વેણુ પ્રસાદે જણાવ્યું હતું કે “અમને ખબર પડી કે દુર્લભ લક્ષણો ધરાવતી આ વ્યક્તિઓ ITI માં ડિપ્લોમા કરી રહી છે અને ઈલેક્ટ્રીશિયન તરીકે કારકિર્દી બનાવવા માંગે છે. અમે તેઓનો સંપર્ક કર્યો અને તેમને ખૂબ જ સક્રિય જણાયા. જોડિયા ભાઇઓ સારું ટેકનિકલ નોલેજ ધરાવે છે. તેથી, અમે તેમને વિકલાંગ વ્યક્તિઓના ક્વોટા હેઠળ અમારા વિભાગમાં ભરતી કરવાનું નક્કી કર્યું છે”,
બે હ્રદય, બે હાથ અને બે કિડની
આઅ જોડિયા બાળકોમાં બે હૃદય, બે જોડી હાથ, કિડની અને કરોડરજ્જુ છે, પરંતુ એક જ લીવર, પિત્તાશય, બરોળ અને પગની એક જ જોડ છે.
તેઓને તેમના માતા-પિતા દ્વારા ત્યજી દેવામાં આવ્યા પછી, એઈમ્સના ડોકટરોએ પિંગલવાડાનો સંપર્ક કર્યો અને 2003માં સ્વતંત્રતા દિવસે નવજાત શિશુઓને ઘર મળ્યું હતું જ્યાં ડૉ ઈન્દ્રજીત કૌર દ્વારા તેમને સોહના અને મોહના નામ આપવામાં આવ્યું. .
અમે ઈમાનદારીથી કામ કરીશું
સોહના-મોહનાએ કહ્યું કે તેઓ પંજાબ સરકારના આ તક આપવા બદલ આભારી છે. આ પ્રસંગે સોહનાએ કહ્યું, "અમે ખૂબ જ ઇમાનદારી અને ડેડિકેશન સાથે સખત મહેનત કરીશું." જ્યારે મોહનાએ કહ્યું હતું કે , "અમે પિંગલવાડા સંસ્થાના ખૂબ આભારી છીએ જેણે અમને ઉછેર્યા, અમને શિક્ષિત કર્યા અને અમને સ્વ-નિર્ભર બનવામાં મદદ કરી."
ડોક્ટરોએ અલગ ન કર્યા
તેઓ 14 જૂન, 2003ના રોજ નવી દિલ્હીની સુચેતા ક્રિપલાની હોસ્પિટલમાં જન્મેલા, તેઓને તેમના માતાપિતાએ ત્યજી દીધા હતા. બાદમાં તેઓને AIIMSમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોકટરોએ તેમને અલગ ન કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે તેના પરિણામે એક વ્યક્તિને જિંદગી ગુમાવવાનો વારો આવી શકે તેમ હતો અને જ્યારે બીજા વ્યક્તિને ન્યુરૉલઓજીકલ ડેમેજ થઈ શકે તેમ હતું.