ખેડૂત આંદોલનના 100 મા દિવસે સિંઘુ, ટિકરી અને શાહજહાંપુર અને ગાઝીપુર બોર્ડર પર સતત ઘટી રહેલી ખેડૂતોની સંખ્યાએ સંયુક્ત કિસાન મોરચાની ચિંતા વધારી દીધી છે.
પ્રદર્શકારીઓની સંખ્યામાં થયો ઘટાડો
ઘરણા સ્થળે લગાડેલા તંબૂ પણ ખાલીખમ
યુપી ગેટ પર પ્રદર્શનકારીઓની પાંખી હાજરીને કારણે નેતાઓ ચિંતાતુર
100 મા દિવસે થયેલા ધરણા-પ્રદર્શનમા શનિવારે પ્રદર્શકારીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. ઘરણા સ્થળે લગાડેલા તંબૂ પણ ખાલી દેખાઈ રહ્યાં છે. જે લોકો અહીં પહોંચ્યાં છે તેમના પહેલા જેવું જોર રહ્યું નથી. યુપી ગેટ પર પ્રદર્શનકારીઓની પાંખી હાજરીને કારણે નેતાઓ ચિંતાતુર થયા છે.
અને જ્યારે રાકેશ ટિકેતનું મોં સિવાઈ ગયું.....
હરિયાણાના ઝઝ્ઝર જિલ્લાની ઢાંસા બોર્ડર પર ચાલી રહેલા ધરણા દરમિયાન એક વિદ્યાર્થીએ ખેડૂત નેતા રાકેશ ટિકેતને એક એવો સવાલ પૂછ્યો કે તેઓ જવાબ આપી શક્યા નહોતા. ત્યાર બાદ ખૂબ હોબાળો મચ્યો હતો અને વિદ્યાર્થીનું માઈક પણ બંધ કરી દેવાયું હતું.
Look at the way All of them PОUNCЕD on her When this Young Girl asked VALID but uncomfortable questions from Dakait pic.twitter.com/RW85Vf7JTM
વિદ્યાર્થીએ ટિકેતને કહ્યું કે હું પૂછવા માગું છું કે જોઈ કોઈ પરિસ્થિતિમાં સરકાર અને ખેડૂતોના બન્ને પક્ષે એક ટકા અથવા તો પછી 0.25 ટકા પણ પાછીપાની ન કરી તો પછી સમાધાન કઈ રીતે થશે. બધાને આ જવાબ જોઈએ છે જેથી કરીને યુવાનો પણ પરેશાન ન થાય અને ખેડૂતો પણ હેરાન ન થાય.
એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીએ કહ્યું કે જો 26 જાન્યુઆરીની દિલ્હી હિંસા માટે કોણ જવાબદાર છે. આની પર વિદ્યાર્થીનું માઈક પાછું માગવામાં આવ્યું અને માઈકનો અવાજ પણ બંધ કરી દેવાયો હતો.