રાજકોટમાં ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાને ત્યાં મહત્વની બેઠક મળી આ બેઠકમાં પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, માવજી ડોડિયા સહિતને આગેવાનો ઉપસ્થિત રહ્યા
વજુભાઈ વાળાને ત્યાં મહત્વની બેઠક મળી
રાજકીય શક્તિપ્રદર્શનની રણનીતિ ઘડાઈ
ભવાની માતાનું મંદિર બનાવવા લેવાયો નિર્ણય
રાજકોટમાં ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાને ત્યાં મહત્વની બેઠક મળી હતી. ગઈ કાલે સાંજે મળેલી બેઠકમાં આગામી રણનીતિ અને સામાજિક એકતા માટે રાજકીય શક્તિ પ્રદર્શનની રણનીતિને લઈ મોટા નિર્ણયો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, માવજી ડોડિયા સહિતને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તમામ લોકો માટે હશે ભવાની માતાનું મંદિર : વજુભાઈ વાળા
કારડીયા રાજપૂત સમાજની બેઠક મુદ્દે વજુભાઈ વાળાએ નિવેદન આપ્યું હતું કે, હું તનતોડ મહેનત કરાવું છું. સાથે જ તેમણે કહ્યું હતું કે, સમસ્ત રાજપૂત સમાજ એક થાય એ અમારો ઉદ્દેશ્ય છે. તો મંદિરને લઈને વજુભાઈએ કહ્યું કે, ભવાની માતાનું મંદિર તમામ લોકો માટે હશે.
VTV સાથે ખાસ વાતચીત કરતા કર્ણાટકના પૂર્વ ગવર્નર અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી બનવાની વાતને લઈને મોટું નિવેદન આપ્યું હતું. વજુભાઈએ જણાવ્યું કે, હાલના મુખ્યમંત્રીએ પોતાનું પર્ફોમન્સ બતાવ્યું છે અને મને મુખ્યમંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી. સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વખાણ કરતા કહ્યું હતું કે, વિજયભાઈનું કામ સારુ રહ્યું છે. તેમને કોરોના થયો છતાં તેઓ લોકોની સેવા કરતા રહ્યા. તેમણે વધુમાં કહ્યું કે, બીજા પક્ષો શું કરે છે એનાથી કોઈ મતલબ નથી, હું ભાજપ સાથે જ રહીને કામ કરીશ. ભાજપ જે કામ સોંપશે તે કામ હું કરતો રહીશ.
ગઈકાલે સાંજે વજુભાઈના ઘરે મળી હતી બેઠક
મહત્વનું છે કે આગામી સમયામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે તેને લઈ બેઠકોને દોર ચાલી રહ્યો છે ગુજરાતમાં આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે કેમ કે રાજ્યમાં અનેક નવા પક્ષો આ વખતે તમામ વિધાસભાની બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી ચુક્યા છે એવામાં ભાજપને બેઠકો ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે ત્યારે પાર્ટીના અને પક્ષના મોટા નેતાઓને રાજકીય સ્થિતિ સુધારવાની કમાન સોંપવામાં આવી છે.
સામાજિક એકતા, રાજકીય શક્તિપ્રદર્શનની રણનીતિ ઘડાઈ
જ્યારે જ્યારે ચૂંટણીના દિવસો નજીક આવે છે ત્યારે ત્યારે જ્ઞાતિ આધારિત ચોગઠા ગોઠવવાની શરૂઆત થઈ જાય છે. સૌરાષ્ટ્રમાં વર્ષોથી જ્ઞાતિ આધારિત ચૂંટણી થતી આવે છે. ખરા સમયે જ જ્ઞાતિના આગેવાનો મેદાનમાં આવી પોલિટિકલ પાર્ટીને પ્રેશર કરતા હોય છે.
પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, માવજી ડોડિયા રહ્યા હાજર
ખોડલધામ સંસ્થા બનાવી નરેશ પટેલે પાટીદારોને એક કરવાની પહેલ કરી છે. ત્યારે ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાડાની આગેવાનીમાં તેમના જ ઘરે બેઠક યોજાઈ હતી જેમાં રોજકોટમાં કારડિય રાજકોત સમાજ દ્વારા ભવાની માતાનું મોટું મંદિર બનાવેશ તેવી જાહેરાત કરવામાં આવી હતી.
ભવાની માતાનું મોટું મંદિર બનાવવા લેવાયો નિર્ણય
ઉલ્લેખનિય છે કે ખોડલધામ ઉમિયાધામની જેમ હવે સામાજિક એકતા માટેનું મંદિરનું નિર્માણ બનાવવાની જાહેર બાદ હવે રાજકીય વગ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવું મનાઈ રહ્યું છે કે સંગઠનની શક્તિ ઉભી કરવા લીંબડી હાઈવે પર ભવાની માતાનું મંદિર નિર્માણ કરવાનું એલાન કરવામાં આવ્યું છે.
મંદિર નિર્માણ થકી રાજકીય વગ ઉભી કરવાનો પ્રયાસ
મહત્વનું છે કે ગુજરાતમાં સામાજિક સંગઠનો 2022ની ચૂંટણીમાં મોટી તાકાત બનીને ઉભરી આવી શકે છે સૌરાષ્ટ્રમાં મિશન 2022નો સામાજિક સલવલાટ રાજકીય દ્રષ્ટિએ સૂચક મનાઈ રહ્યો છે એવામાં સામાજિક સંગઠનોની શક્તિ વધારવા માટે પ્રયાસ તેજ થઈ ગયા છે.
ભક્તિ સાથે સમાજ એકતા માટે મંદિરનું નિર્માણ કરાશે
પહેલા ખોડલધામના ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓની બેઠક બાદમાં પાટીદાર અને કોળી સમાજના શક્તિ પ્રદર્શનથી અન્ય સમાજના લોકો પણ સક્રિય થયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં વધુ એક મોટા સમાજ દ્વારા સામાજિક એક્તા સ્થાપવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
સંગઠનની શક્તિ મજબૂત કરવા મંદિરનું નિર્માણ કરાશે
કારડિયા રાજપૂત સમાજ આસ્થા સાથે એક્તાના પ્રતિક સમા સંગઠન બનાવવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. તેમાય તે ભાજપના સિનિયર નેતા વજૂભાઇવાળા રાજકીય વ્યૂહબાજીમાં નિષ્ણાંત છે. ત્યારે પાટીદાર અને કોળી સમાજ બાદ સૌરાષ્ટ્રમાં કારડીયા રાજપૂત સમાજ ત્રીજા નંબરનો મોટો સમાજ બને તેવું મનાઈ રહ્યું છે.