ભારતીય વાયુસેના દ્વારા ગત વર્ષે બાલાકોટમાં કરવામાં આવેલ હુમલાનો ડર આજે પણ પાકિસ્તાનની સેના અને લોકો પર યથાવત છે. પાકિસ્તાનમાં એક અફવાએ સેનાને ચકરાવે ચડાવી દીધી. સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઇ કે સમગ્ર કરાચમાં મંગળવારે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું. જોકે સોશિયલ મીડિયા પર અફવા ઉડી કે કેટલાક અજ્ઞાત લડાકૂ વિમાન કરાચી ઉપરથી ઉડાન ભરતા દેખાયા છે. આ સમાચાર આવતા જ શહેરની વીજળી કટ કરી દેવામાં આવી. પાક વાયુસેનામાં ખળભળાટ મચી ગયો.
પાકિસ્તનના સોશિયલ મીડિયા પર અફવા ઉડી
કેટલાક અજ્ઞાત લડાકૂ વિમાન ઉડાન ભરતા દેખાયા હોવાની ઉડી અફવા
પાક વાયુસેનામાં ખળભળાટ મચ્યો
પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર એવી પુષ્ટિ વગરની વાત સામે આવી રહી છે કે મંગળવારે કેટલાક અજ્ઞાત લડાકૂ વિમાનોએ કરાચી પરથી ઉડાન ભરી. ખબર આવ્યા બાદ સમગ્ર શહેરમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર હવામાં ઉડતા લડાકૂ વિમાનોનો વીડિયો પાકિસ્તાનમાં શેર કરવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર કરાચી ટોપ ટ્રેન્ડ બન્યું રહ્યું અને પાકિસ્તાનના લોકો ટ્વિટ કરતા રહ્યા.
સોશિયલ મીડિયા પર કરાચીના સ્થાનિક લોકોએ કેટલાક ટ્વિટ કર્યા છે. આ સમાચાર બાદ પાકિસ્તાની એરફોર્સના વિમાન પણ કરાચીના આકાશમાં ઉડાન ભરતા દેખાયા. જોકે પાકિસ્તાને એવા સમાચારની પુષ્ટિ નથી કરી. આ સમાચારોથી પાકિસ્તાનના લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે.
Extraordinary air activity on #Pak_India border has been observed. #Pakistan security forces are alert.
— Tariq Mahmood Malik (@TM_Journalist) June 9, 2020
ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલામાં કાશ્મીરમાં માર્યા ગયેલા 40 જવાનોનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ ગત વર્ષ પાકિસ્તાનના બાલાકોટમાં મોટી કાર્યવાહી કરી હતી. અહીં પર જૈશ-એમોહમ્મદ આતંકવાદી સંગઠનના મસૂદ અજહર દ્વારા સંચાલિત આતંકવાદી કેમ્પોને ભારતીય વાયુસેનાના વિમાનોથી ધ્વસ્ત કરી દિધા હતા. ભારતીય વાયુસેનાના વિમાનોએ સવારના સમયે મોટો હુમલો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઇ હતી.