લૉકડાઉનને ધ્યાને રાખીને પ્રવાસી શ્રમિકોને બસ મારફતે લાવવા મુદ્દે ઉત્તર પ્રદેશ સરકાર અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. તો સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આ વિવાદની મજા લઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના શ્રમિકોનો ઘરે પહોંચાડવા માટે યુપી સરકારે લિસ્ટ માગ્યું અને પછી કોંગ્રેસના લિસ્ટમાં 3 પૈડાવાળા પણ વાહન સામેલ હોવાની વાત કરી હતી.
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની બસ મામલો ગરમાયો
સોશિયલ મીડિયા પર લોકોએ ઉડાવી મજાક
ઉલ્લેખનીય છે કે, યોગી સરકારે કોંગ્રેસ નેતાઓ તરફથી સોંપવામાં આવેલ યાદીના થોડા સમયગાળામાં તમામ વાહનો સાથે મેળવણી કરી લેવામાં આવી હતી. ત્યારે પુનીત કુમારસિંહ નામના એક વ્યક્તિએ ટ્વીટર પર લખ્યું કે, 1 હજાર બસના નંબર 2 મિનિટમાં ચેક થઇ ગયા, પુલવામાંમાં 350 કિલો RDX લાવનારી 1 ગાડીનો નંબર દોઢ વર્ષ થયું પરંતુ ચેક કરી શક્યા નથી.
તાકાત હોય તો શ્રમિકો સામે હર હર મોદી બોલીને જુઓ
1000 बसों के नम्बर 2 मिनट में #चेक हो गये, #पुलवामा में 350 किलो RDX लाने वाली 1 गाड़ी का नम्बर #डेढ़_साल में नही चेक कर पाए।
— Punit Kumar Singh (@puneetsinghlive) May 19, 2020
તો આ તરફ Roflthackery નામના ટ્વીટર હેન્ડલ પર લખવામાં આવ્યું કે, જે અંધભક્તોએ પોતાની માતાનું દૂધ પીધું છે, બસ એકવખત મજૂરોની સામે હર હર મોદી, ઘર ઘર મોદી બોલીને બતાવે છે. તો પ્રિન્સ ભલ્લા નામના યુઝરે જણાવ્યું કે, સરકાર જેટલી બારીકાઇથી પ્રિયંકા ગાંધીની બસો ચેક કરી રહી છે. તેટલી ચીવટ એરપોર્ટ અડ્ડા પર કોરોના તપાસમાં દેખાડેત તો આ દિવસ આજે જોવાનો વારો ન આવેત.
ટ્વીટર પર લોકોએ લીધી મજા
@taslimasayyesએ ટ્વીટર પર લખ્યું કે, જે લોકો જામીયાની પાસે ગોળી મારીને જાય અને તેમનો નંબર પણ શોધી શકતા નથી તો આ નંબર કેવી રીતે લાવ્યા. તો અન્ય કેટલાક યુઝર્સે સરકારની કાર્યશૈલી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
આપને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશ સરકારે કોંગ્રેસની બસોનો ઉપયોગ ન કરતા પ્રિયંકા ગાંધીએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. યુપી સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારી 1049 બસોમાં 879 બસો તપાસમાં યોગ્ય મળી આવી છે. ઊંચા નાગલા બોર્ડર પર તમામ બસને અટકાવી દેવામાં આવી છે.