ASI હિતેન્દ્રસિંહ ઝાલાએ સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ
રાજકોટના એક રાજકીય આગેવાન પર કર્યા આક્ષેપ
રાજકીય આગેવાને બદલીની ધમકી આપ્યાનો કર્યો આક્ષેપ
તમે ફિલ્મોમાં જોયું હશે કે જ્યારે નેતા પર પોલીસ કોઈ એક્શન લે તો તેને કૉઈ ના કોઈ રીતે હેરાન કરી પોતાની સત્તાનો દુરુપયોગ કરી, લાગવગ લગાડી તેને હેરાન કરે છે અને બદલીઑ કરાવી બદલાનો સંતોષ માને છે. આવુ જ કઈંક રાજકોટ પોલીસના ASI હિતેન્દ્રસિંહ ઝાલા સાથે બન્યું છે. રાજકીય આગેવાનના બનેવીને જુગાર રેડમાં પકડતા ધમકી પર ધમકીઑ મળી રહી છે. વારંવાર બદલી કરવામાં આવતી હોવાનો આરોપ થઈ રહ્યો છે.
શું સમગ્ર બનાવ?
મળતી વિગતો પ્રમાણે રાજકોટના ASI હિતેન્દ્રસિંહ ઝાલા રાજકીય આગેવાનના બનેવીને જુગાર રેડમાં ઝડપી પાડ્યો હતો. જે બાદ તે રાજકીય આગેવાને લાગવગ લગાડી સતત ASI હિતેન્દ્રસિંહ ઝાલાને હેરાન કર્યાનો આરોપ લાગી રહ્યો છે. આખરે કંટાળી ASIએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી દેતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.રાજકીય આગેવાને બદલીની ધમકી આપી રહ્યો છે કે એવી જગ્યાએ બદલી કરાવીશ કે ત્યાં પાણી પણ નસીબ નહીં હોય. જો કે સોશિયલ મીડિયા પોસ્ટમાં કયા નેતાએ ધમકી આપી છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ASIએ શું લખ્યું?
ASI હિતેન્દ્રસિંહ ઝાલા આપવીતી જણાવતા કહ્યું કે આજે એક નેતાને તેની અસલિયત કહી તો મને બદલીણી ધમકી આપી કે એવી જગ્યાએ બદલી કૃષ કે પાણી નહીં મળે, એ મને 4 વરસથી હેરાન કરે છે વગર વાંકે મારી બદલી ઑ કરાવે છે જ્યારે એ નો ઈતિહાસ વિવાદોથી ખરડાયેલો છે છતાં મને ધમકીઓ આપે છે પણ મારી તૈયારી છે. ઝૂકેગા નહીં મૈ સાલા.. મે મારો વાંક એટલો જ હોટ કે તેના બનેવીને જુગારણી રેડ કરી હતી. પણ મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે કે કેમ કે હું લડીશ ઝુકીશ નહીં અન્યાય સામે
પોલીસના કામમાં રાજકીય દખલગીરી કેમ?
અહી સવાલ અનેક થઈ રહ્યા છે કે શું નેતાના બની બેઠા એટલે તેમણે અને તેમના સંબધીઓને કાયદો હાથમાં લેવાની છૂટ કોણે આપી? પોલીસને કેમ બદલીઑણી ધમકી આપી કાયદેસરણી કાર્યવાહી કરતાં રોકવામાં આવી રહ્યા છે? શું રાજકીય આગેવાનના બનેવીને જુગાર રેડમાં પકડાય તો તે ગુનો બનતો નથી? રાજકીય પક્ષ પણ આવા રાજકીય આગેવાનોના દબાણમાં રહી કેમ પોલીસના કામમાં બાધા નાખે છે? કેમ રાજકોટ પોલીસ ડીપાર્ટમેન્ટ પર આવા સત્તાનો દૂરપયોગ કરનારા સામે દાખલારૂપ કાર્યવાહી નથી કરતી? શું નેતા પોતાના રાજકીય સત્તાના જોરે બદલીનો ડર આપી મનફાવે તેમ વર્તન કરે છે? પોલીસને જ ધમકીઑ મળે છે આમ જનતાને શું એ કેમ વિચારવામાં આવતુ નથી?