આજના યુગમાં સોશિયલ મિડીયાનો વપરાશ દીન-પ્રતિદીન વધી રહ્યો છે. તે જોતા લાગે છે કે લોકો પાસે કામ કરતા વ્યર્થ સમય વધારે હશે. પરંતુ હકીકત બિલકુલ જુદી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ કે અન્ય સાઇટ પર વ્યસ્ત રહેતા લોકો અંદરથી એકલતા મહેસુસ કરતા હોય છે.
સોશિયલ મિડીયાનો વપરાશ દીન-પ્રતિદીન વધ્યો
સોશિયલ મિડીયાનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક
સાઇક્રાટીસ કહે છે..
સાઇક્રાટીસ ડો. આસુતોષ ચોક્સી કહે છે કે, “દરેક લોકો માત્ર પોતાની ખુશી વ્યકત કરવા કે મિત્રો સાથે સમય પસાર કરવા સોશીયલ મિડીયાનો વપરાશ નથી કરતા મારી પાસે એવા ઘણા કેસ આવે છે જે પોતાની એકલતાને દૂર કરવા આ માધ્યમનો સહારો લેતા હોય છે. રાતોની રાત જાગી મોબાઇલ પર ફેસબુક ઓન રાખતા લોકો હકીકતમાં એકલતાથી પીડાતા હોય છે. બધાની વચ્ચે હોવા છતા તેમને મારૂ કોઇ નથી જેવી ભાવના થતી હોય છે. આવી વ્યક્તિ ડીપ્રેશન, અનિંદ્રા, જેવી અનેક બિમારીના સકંજામાં આવી જાય છે. ઘણીવાર તો સોશિયલ મિડિયાનો વપરાશ ઘટાડવા માટે મનોચિકિત્સકની મદદ લેવી પડેશે.”
સોશીયલ મિડીયાના સહારે પણ નિરાશા જ મળતી.
મૈથલીનો વધુ પડતો સમય ફેસબુક અને વોટ્સએપ પર જ પસાર થતો. પતી રાઘવ ઓફીસ જાય અને દિકરી આરાધ્યા શાળાએ જાય એટલે મૈથલી ફોન લઇને બેસી જતી. તેની આ આદત દિન-પ્રતિદીન વધતી જતી હતી પરંતુ તે ખુશ રહેવાની જગ્યાએ વધુને વધુ દુઃખી થતી. રાઘવે તેને એક દિવસ ધીમેથી સમજાવી કે તારી સોશીયલ મિડીયાની લત તને ડીપ્રેશન તરફ લઇ જશે. મૈથલીના માતા- પિતા તો બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા. પરંતુ બે ભાઇઓ વચ્ચે તે રાજકુમારીના જેમ મોટી થઇ, ઉત્સાહભેર ભાઇઓના લગ્ન માણ્યા પરંતુ ભાભીઓ આવતા જ ભાઇ પણ જાણે બદલાતા ગયા. સદનશીબે રાઘવ જેવા સમજુ યુવાન સાથે તેના લગ્ન થયા. દિકરી આરાધ્યાના આવ્યા પછી તો ભાઇ-ભાભીએ તેની સાથેના દરેક સબંધ પર પુર્ણ વિરામ મુક્યા. ખુશ મિજાજી મૈથલીના જીવનમાં દરેક ખુશીઓ હતી છતા પણ તે પોતાની જાતને એકલી સમજતી. અને આ એકલતાને દૂર કરવા તે સોશીયલ મિડીયાનો સહારો લેતી પરંતુ અંતે ત્યાં પણ તેને નિરાશા જ મળતી.
પોતાને હંમેશા એકલો અનુભવતો
આકાશની વાત થોડી જુદી છે, સુખી સમુદ્ધ પરિવારનો એકનો એક દિકરો યુવાનીમાં પગ મુકતાજ પ્રેમમાં પડ્યો. ગુંજન આઝાદ વિચારો ધરાવતી યુવતી હતી. આકાશ જેને પ્રેમ સમજતો હતો, તે ગુંજન માટે ટાઇમપાસ હતો. હરવુ, ફરવુ, કોલેજ-ટ્યુશન બધે સાથેને સાથે કઇ કેટલી રેસ્ટોરન્ટમાં લન્ચ,ડીનર, ફીલ્મો લોંગ ડ્રાઇવ જેવી મજા માણી એક દિવસ ગુંજને પોતાના નવા મિત્રની આકાશ સાથે મુલાકાત કરાવી. ત્યારે તેને શોક લાગ્યો. આકાશ દુઃખમાં ગરકાવ થઇ ગયો. આ સમયે પરીવાર સાથે ખુલ્લા મને વાત કરવાની જગ્યાએ તે સોશીયલ મિડીયાની લતમાં સપડાયો. ફેશબુક અને ઇન્સ્ટા પર પાગલ દિવાનાની શાયરીઓ સેર કરવા લાગ્યો એકલતાને દૂર કરવા દિવસનો વધુ સમય સોશીયલ મિડીયા પર જ પસાર કરતો છતા પણ તે હંમેશા એકલા હોવોનું અનુભવતો.
માર્ગી માર્ગ ભુલી ગઇ
પાંચ હજાર કરતા પણ વધુ મિત્રો માર્ગીના ફેસબુક પર હતા. ઇન્સ્ટા કરતા માત્ર ફેસબુકની દિવાની માર્ગી રોજ કઇને કઇ નવુ અપલોડ કર્યા કરતી. ક્યારેક પોતાના જુના ફોટા તો ક્યારેક સરસ મજાની કવિતાઓ તો ક્યારેક દિકરા-પતી સાથેની મજાની ક્ષણોના પીક્સ. બસ તે કોઇ પણ જગ્યાએ જાય તો પહેલા પોતાના મોબાઇલમાં ફોટા પાડતી. સોશીયલ મિડીયા પર આટલી બધી એક્ટીવ રહ્યા પછી પણ તે અંદરો અંદર રોજ રડ્યા કરતી. આ ફોટા, શાયરીઓ, સુંદર લખાણ બધુ તેની પરદેશમાં રહેતી મિત્રોને બતાવવા માટે હતુ. બાળપણથી સાથે રહેલી મિત્રો લગ્ન કરી વિદેશમાં ઠરીઠામ છે અને પોતે અહીં છે તેનું તેને સતત દુઃખ રહેતુ. માટે પોતે અહીં તેમના કરતા પણ વધારે ખુશ છે. આવી ખોટી જાહેરાતોમાં તે પોતે વધુ દુઃખી બનતી ગઇ અને સાથે જ દિકરા અને પતી સાથે પણ માથાકુટોથવા લાગી. એકલતાને દૂર કરવાના અને મિત્રોને બતાવી દેવાના ચક્કરમાં માર્ગી ખુદ માર્ગ ભુલી બેઠી. મૈથલી, માર્ગી, આકાશ જેવી અગણીત વ્યક્તિઓ છે જે સોશીયલ મિડીયાની નજરે ખુબજ ખુશ અને આનંદીત લાગતા હોય, પરંતુતેમના ખુશ ચહેરા પાછળ એકલતાનો ચહેરો છુપાયેલો હોય છે. એક સર્વે પ્રમાણે અંદાજે ૪૫ ટકા જેટલી વ્યક્તિ આવા માધ્યમનો વપરાશ એકલતા દૂર કરવા માટે કરે છે. જેમાં ગુજરાતની વાત કરીએ તો મહિલાઓનું લીસ્ટ ઘણું લાંબુ છે.