મોટાભાગે લોકો સ્પ્રાઉટેડ ફૂડ ખાવાનું પસંદ કરે છે. આ માટે તેઓ એમ માને છે કે તેનાથી હેલ્થ સારી રહે છે અને વજન વધતું નથી. પરંતુ આપણી રસોઈમાં કેટલીક ચીજો એવી છે જેને તમે રાતે પલાળીને સવારે ખાઓ છો તો તમે તેનો અનેક ગણો ફાયદો મેળવી શકો છો. સાથે જ અનેક બિમારીઓમાંથી પણ રાહત મેળવી શકો છો. આવો જાણીએ કઈ છે આ ચીજો અને કઈ બિમારીમાં શું ખાવું જોઈએ.
મુનક્કા- કેન્સર અને કિડની સ્ટોનમાં ફાયદો કરે
તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયર્ન વધારે હોય છે. મુનક્કાનું નિયમિત સેવન કેન્સર કોશિકાઓને વધતું રોકે છે. તેનાથી સ્કીન હેલ્ધી અને ચમકદાર રહે છે. એનીમિયા અને કિડની સ્ટોનના દર્દીઓને માટે પણ ફાયદારૂપ છે.
ખસખસ- રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે
તે ફોલેટ, થિયામિન અને પેંટોથેનિક એસિડનો સારો સોર્સ છે. તેમાંનું વિટામીન બી મેટાબોલિઝમને વધારે છે. તેનાથી વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ઈમ્યુનિટીને પણ વધારે છે.
મેથીદાણા- માસિકના દર્દને ઓછું કરે છે
તેમાં ફાઈબર્સનું પ્રમાણ વધારે હોય છે. જે કબજિયાતને દૂર કરીને આંતરડાને સાફ રાખવામાં મદદ કરે છે. ડાયાબિટીસના રોગીને માટે પણ મેથીના દાણા મદદ કરે છે. સાથે મહિલાઓને માસિકના દર્દમાંથી રાહત આપે છે.
મગ- કબજિયાત અને હાઈબીપીમાં મળશે રાહત
આ પ્રોટીન, ફાઈબર અને વિટામીન બીનો મુખ્ય સોર્સ છે. તેનું નિયમિત સેવન કરવવાથી કબજિયાતના દર્દીને રાહત મળે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. હાઈ બીપીના દર્દીઓએ તેને રેગ્યુલર ખાવા જોઈએ.
કાળા ચણા- મસલ્સ બનાવવામાં કરશે મદદ
અંકુરિત કાળા ચણામાં ફાઈબર્સનું પ્રમાણ વધારે હોય છે. જે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. તેમાં પ્રોટીન પણ વધારે રહેલું હોય છે. જે મસલ્સ બનાવવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી થાક દૂર થાય છે.
અળસી- કોલેસ્ટ્રોલ ઘટાડીને હ્રદયને સ્વસ્થ રાખે
ઓમેગા -3 ફેટી એસિડ માટે અળસીને મુખ્ય શાકાહારી સોર્સ માનવામાં આવે છે. ફ્લેક્સ સીડ્સ ન્યૂરો ડિજનરેટિવ બિમારીઓને રોકવામાં મહત્વનું છે. તે નબળા કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સાથે એલડીએલને ઘટાડીને હાર્ટને હેલ્ધી રાખે છે.
બદામ- બ્લડપ્રેશરને કરશે કંટ્રોલ
તેમાં મેગ્નેશિયમ હોય છે અને તે હાઈ બીપીના રોગીને માટે ફાયદારૂપ છે. નિયમિત રીતે પલાળેલી બદામ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલનું લેવલ ઘટે છે.
કિશમિશ- સ્કીનમાં ચમક લાવે અને એનિમિયામાં આપે રાહત
કિશમિશમાં એન્ટીઓક્સીડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. એક રાત કિશમિશને પલાળીને રાખો. રોજ આ પલાળેલી કિશમિશ ખાવાથી સ્કીન હેલ્ધી રહે છે અને ચમકદાર બને છે. તેમાં આયર્ન પણ હોય છે. તેના સેવનથી એનિમિયાના દર્દીને ફાયદો થાય છે.