બજેટ સત્ર પહેલા નાણા મંત્રાલયે ઘર ભાડા ભથ્થાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, એ મુજબ દેશના લાખો કર્મચારીઓ હાઉસ રેન્ટ એલાઉન્સનો લાભ મેળવી શકશે નહીં.
સરકારે કેટલાક કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સપર કાપ મૂક્યો છે
શું હોય છે હાઉસ રેન્ટ એલાઉન્સ
આ કર્મચારીઓને નહીં મળે હાઉસ રેન્ટ એલાઉન્સ
જો તમે પણ સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે કામના છે કારણ કે સરકારે કેટલાક કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સ પર કાપ મૂક્યો છે. આ સાથે જ નિયમોને ટાંકીને આવા કર્મચારીઓને HRA આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. જણાવી દઈએ કે હાઉસ રેન્ટ એલાઉન્સ પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે એટલું જ નહીં HRA પર ટેક્સ છૂટ આપવામાં આવે છે. એટલે કે નવા નિયમો લાગુ થયા બાદ દેશના લાખો કર્મચારીઓ હાઉસ રેન્ટ એલાઉન્સનો લાભ મેળવી શકશે નહીં.
આ કર્મચારીઓને નહીં મળે હાઉસ રેન્ટ એલાઉન્સ
બજેટ સત્ર પહેલા નાણા મંત્રાલયે ઘર ભાડા ભથ્થાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, ફેરફારની જાણકારી આપતા મંત્રાલયે કહ્યું કે જો કોઈ કેન્દ્રીય કર્મચારી પાસે સરકારી આવાસ હોય તો મહાનગરપાલિકા, પોર્ટ ટ્રસ્ટ, રાષ્ટ્રીયકૃત બેંક, એલઆઈસી વગેરે દ્વારા ફાળવવામાં આવેલ મકાન આપ્યું છે. આવા કર્મચારીઓ હાઉસ રેન્ટ એલાઉન્સ મેળવવા માટે હકદાર નથી અને એટલે જ આ કર્મચારીઓને તાત્કાલિક અસરથી HRA બંધ કરવામાં આવશે. એટલું નહીં જો પતિ-પત્ની બંનેની સરકારી નોકરી હોય તો અને જો કોઈ એકને સરકારી આવાસ મળે છે તો બંનેનું મકાન ભાડું ભથ્થું બંધ થઈ જશે.
શું હોય છે હાઉસ રેન્ટ એલાઉન્સ
અત્યાર સુધી સરકારી નોકરી કરનાર દરેક વ્યક્તિને ઘર ભાડું ભથ્થું આપવામાં આવતું હતું અને એ પગારનો નોંધપાત્ર ભાગ હતો. હાઉસ રેન્ટ એલાઉન્સ એ એમ્પ્લોયર દ્વારા કર્મચારીને મકાનના ભાડા માટે ચૂકવવામાં આવતી કિંમત છે એટલે કે જે લોકોને પોતાના ઘરમાં રહેવાનો લાભ મળતો નથી એમને આપવામાં આવતું હતું, ખાસ કરીને પગારદાર કર્મચારીઓને આ લાભ આપવામાં આવે છે પણ હવે સરકારે HRAમાં કેટલાક ખાસ ફેરફાર કર્યા છે.
કેવી રીતે કરવામાં આવે હાઉસ રેન્ટ એલાઉન્સની ગણતરી
જણાવી દઈએ કે સરકાર કોઈપણ સરકારી કર્મચારીના પગારને ત્રણ ભાગમાં વહેંચે છે. દેશમાં એવા લાખો કર્મચારીઓ છે જેઓ સરકારી આવાસમાં રહીને પણ HRA લઈ રહ્યા છે અને એ કારણે સરકારને ઘણું નુકસાન થાય છે. આ મામલાને ગંભીરતાથી લઈને સરકારે હવે આવા કર્મચારીઓની ઓળખ કરવાનું કહ્યું છે જે કર્મચારી જે ભાડા વગર મકાનમાં રહેતા હોય, આવા તમામ કર્મચારીઓના મકાન ભાડા ભથ્થા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.