ભારતમાં હાલમાં બેન્કિંગ સેક્ટર ખૂબ જ તાણમાંથી પસાર થઈ રહ્યું છે, મોટાભાગની બેન્કો NPA અને બેડલોન્સની ખૂબ જ વધતી જતી સમસ્યાથી પીડાઈ રહી છે, સાથે જ કોવિડ સંકટના લીધે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ છે, આ સ્થિતિમાં જાણકારી મળી છે કે નીતિ આયોગે કેન્દ્ર સરકારને બેન્કોનું ખાનગીકરણ કરવાની સલાહ આપી છે.
નીતિ આયોગે સરકારી બેન્કોના ખાનગીકરણ માટે બ્લુ પ્રિન્ટ કરી તૈયાર
ભારતમાં માત્ર 4 જ સરકારી બેન્કોનું અસ્તિત્વ જાળવી રાખવા આપી સલાહ
SBI, PNB, BOB અને કેનેરા બેંક સિવાયની બેન્કોનું થઈ શકે છે ખાનગીકરણ
ભારતમાં હાલમાં 12 જેટલી સરકારી બેન્કો અસ્તિત્વ ધરાવી રહી છે, મોદી સરકારના બીજા કાર્યકાળમાં 10 જેટલી સરકારી બેન્કોનું પહેલા જ મર્જર થઈ ચૂક્યું છે, ત્યારે હવે ભારતીય બેન્કિંગ ક્ષેત્રે મોદી સરકાર વધુ રિફોર્મ્સ કરવા માટે આગળ વધવા ચાહે છે, આ જ સ્થિતિમાં દેશની ટોપ થિંકટેન્ક એવા નીતિ આયોગે સરકારને બેન્કોના ખાનગીકરણની દિશામાં આગળ વધવા સલાહ આપી છે જેની માટેની બ્લ્યુ પ્રિન્ટ પણ તૈયાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે
હાલમાં સરકારની મજૂરી મળી નથી પરંતુ પ્રસ્તાવ ચર્ચા માટે મૂકાઈ શકે છે
હાલમાં જો કે સરકારે આ મામલે કોઈ મંજૂરી આપી નથી પરંતુ નીતિ આયોગની ભલામણ મુજબ આ પ્રકારનો પ્રસ્તાવ મોદી કેબિનેટ પાસે ચર્ચા માટે મૂકાઇ શકે તેમ હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ જે સરકારી બેન્કોનું ખાનગીકરણ કરવાની નીતિ આયોગે સરકારને સલાહ આપી છે તેમ આ બેન્કોના નામ કેન્દ્ર સામેલ છે, પંજાબ એન્ડ સિંધ બેન્ક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને યુકો બેંકનું ખાનગીકરણ કરવાની સલાહ આપી છે.
અમુક બેન્કોનું વિલીનીકરણ કરવાનો પણ પ્રસ્તાવ છે
વધુમાં નીતિ આયોગે સરકારને બેન્ક ઓફ ઈન્ડિયા, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને ઇંડિયન ઓવરસીઝ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાનું મર્જર કરવાની પણ ભલામણ કરી છે. ઇંડિયન બેન્કને પણ વિલીનીકરણની આ પ્રોસેસમાં સમાવવાનું કહ્યું છે. આ સિવાય સરકાર વિલીનીકરણની સથે જ એક બીજો વિકલ્પ પણ ચકાસી શકે છે, જેમાં સરકાર આ બેન્કોમાં પોતાના હિસ્સાને વેચીને 26 ટકાની મર્યાદા સુધી પણ લાવી શકે છે.
શું મોદી સરકાર આ મુદ્દે આગળ વધી શકે છે?
હાલની પરિસ્થિતિ જોતાં સરકાર માટે સંસદમાં પૂરતું સંખ્યાબળ હોવાનું જણાઈ રહ્યું છે. લોકસભામાં તો મોદી સરકારની પૂર્ણ બહુમતી છે માટે કોઈ અડચણ આવે તેમ જણાઈ રહ્યું નથી, રાજ્યસભામાં પણ NDA ના ફ્લોર મેનેજરો અત્યાર સુધી મોદી સરકારના નિર્ણયોને પસાર કરાવવામાં કુશળ પૂરવાર થયા છે તે તીન તલાક અને આર્ટીકલ 370ના મુદ્દે દેશે જોયું છે. એટલે સંસદ માં સરકાર પ્રભૂત્વ ધરાવે છે.
મોદી સરકાર બેંકીંગના રાષ્ટ્રિયકરણના કાયદાને કરી શકે છે સમાપ્ત
જો કે આ માટે પદ્ધતિના દ્રષ્ટિએ જોઈએ તો મોદી સરકાર હાલમાં બેંકીંગના રાષ્ટ્રીયકરણના કાયદાને સમાપ્ત કરી શકે છે. હાલમાં બેન્કોના ખાનગીકરણ અને એકીકરણને લગતો કોઈ નિર્ણય સરકારે લીધો નથી, જો કે આ માટેનો પ્રસ્તાવ નીતિ આયોગે બનાવીને કેન્દ્ર સરકારને સુપરત કર્યાના અહેવાલ છે. અને આ મુદ્દે કેબિનેટમાં ચર્ચા થવી પણ સંભવ છે.