પૂર્વ ખેલાડી રાહુલ દ્રવિડને ભારતીય T20 ટીમના કોચ તરીકે છુટ્ટી મળી શકે છે અને આ પાછળ એક મોટું કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયાએ ODI અને T20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું નથી
ODI અને T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન
BCCIએ દ્રવિડની રિપ્લેસમેન્ટ માટે કર્યો મૂડ સેટ
7 વર્ષ પછી કોઈ વિદેશી બની શકે છે ટીમ ઈન્ડિયામાં કોચ
શ્રીલંકા સામેની T20 સિરીઝમાં BCCIએ ઘણા ચોંકાવનારા નિર્ણયો લીધા છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને ઋષભ પંતને આરામ આપીને હાર્દિક પંડ્યાને આ સીરિઝની કપ્તાની સોંપવામાં આવી છે. આ સાથે જ સૂર્યકુમારને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો કે આવી સ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે કોચિંગને લઈને બહુ જલ્દી કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
ODI અને T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન
જણાવી દઈએ કે પૂર્વ ખેલાડી રાહુલ દ્રવિડને ભારતીય T20 ટીમના કોચ તરીકે છુટ્ટી મળી શકે છે અને આ પાછળ એક મોટું કારણ એ છે કે ટીમ ઈન્ડિયાએ હાલની મર્યાદિત ઓવર એટલે કે ODI અને T20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું નથી. આ સાથે જ T20 ફોર્મેટમાં કોઈ વિદેશી ખેલાડીને ભારતીય ટીમનો કોચ બનાવવામાં આવી શકે છે.
BCCIએ દ્રવિડની રિપ્લેસમેન્ટ માટે કર્યો મૂડ સેટ
હજન રિપોર્ટ્સમાં આ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છો કે BCCIએ દ્રવિડની રિપ્લેસમેન્ટને લઈને પોતાનું મન બનાવી લીધું છે અને ટૂંક સમયમાં જ ક્રિકેટ એડવાઇઝરી કમિટી (CAC)ની મંજૂરી લીધા બાદ આ નિર્ણય લેવામાં આવી શકે છે.
આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમમાં ટૂંક સમયમાં સ્પ્લિટ કોચિંગ ફોર્મ્યુલા પણ લાગુ થઈ શકે છે. તેનો મતલબ એમ થયો કે રાહુલ દ્રવિડ ટેસ્ટ અને વનડેમાં કોચ તરીકે ટકી રહી શકે છે અને ટી20માં કોઈ વિદેશીને કોચ બનાવી શકાય છે. જો આ રિપોર્ટ અને સૂત્રો સાચા પડ્યા તો છેલ્લા 7 વર્ષમાં પહેલીવાર ટીમ ઈન્ડિયામાં કોઈ વિદેશી કોચ બનશે.
7 વર્ષ પછી કોઈ વિદેશી બની શકે છે ટીમ ઈન્ડિયામાં કોચ
જણાવી દઈએ કે વર્ષ 2015ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના કોચ વિદેશી હતા. ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ દિગ્ગજ ડંકન ફ્લેચર એ સમયે ટીમ ઈન્ડિયાના કોચ હતા. જો કે હાલ બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું છે કે જો કોઈ વિદેશી કોચ મળે છે જે સિદ્ધાંતોને અનુસરી શકે છે, તો એમને ચોક્કસપણે આ તક આપવામાં આવશે.
જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2021માં જ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી અને એશિયા કપમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. ઉપરાંત ટી20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સારું રહ્યું ન હતું.