કોરોનાની ત્રીજી લહેર અંગે નિષ્ણાંતોએ ફરી એક વાર ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે કેસો ઓછા થતા થોડી છૂટ આપવી સારી પણ બધુ ખોલી દેવું સારુ નથી.
કોરોનાની ત્રીજી લહેર અંગે એક્સપર્ટ્સની ચેતવણી
થોડી છૂટ સારી પણ બધુ ખોલવું યોગ્ય નથી
ત્રીજી લહેર કોઈ ધારણા બાંધવી પણ સારી વાત નથી
એમ્સના ડોક્ટર યુદ્ધવીર સિંહે કહ્યું કે લોકોએ બચાવના ઉપાય અપનાવવાનું બંધ ન કરવું જોઈએ. કોવિડ અનુરુપ વ્યવહાર કરવો જોઈએ. ડોક્ટર સિંહે એવું પણ કહ્યું કે કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં કેસો સામે આવ્યાં હતા તેથી એવી શક્યતા છે કે દિલ્હીમાં એન્ટીબોડી વિકસીત થઈ છે.
ત્રીજી લહેરને લઈને કોઈએ પણ ધારણા ન બાંધવી જોઈએ
સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટર પૂજા ખોસલેએ કહ્યું કે કોરોનાની બીજી લહેરથી આપણને શીખવા મળ્યું છે કે કેસો ઝડપથી કેવી રીતે વધે છે. દુનિયાના ઘણા ભાગોમાંથી ચેતવણીના સંકેત મળી રહ્યાં છે. ભારતમાં પણ સંક્રમણના કેસોમાં વધારો જોવા મળ્યો છે. સંક્રમણ ક્યારેક ઝડપી ગતિએ વધે છે. મને લાગે છે કે કોઈ પણ ધારણા ન બાંધવી જોઈએ.
બધુ ખોલી દેવું સારુ નથી.
તેમણે કહ્યું કે બધુ ખોલી દેવું સારુ નથી. બધા કહી રહ્યાં છે ત્રીજી લહેર આવવામાં થોડા દિવસ બચ્યા છે. મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં પ્રોફેસર પ્રજ્ઞા શર્માએ કહ્યું કે ત્રીજી લહેર તો આવશે જ પરંતુ તેમાં કેટલા લોકો સંક્રમિત થશે તે ઉપાયો તથા વેક્સિનેશનની ગતિ પર નિર્ભર કરશે.
સફદરગંજ હોસ્પિટલના ડો.જુગલ કિશોરે કહ્યું કે પહેલા સંક્રમિત થવાને કારણે તથા વેક્સિનેશનને કારણે લગભગ 80 ટકા લોકોમાં વાયરસ વિરોધી ક્ષમતા વિકસીત થઈ છે. તેમણે કહ્યું કે બીજી લહેર દરમિયાન સામે આવેલા 60 ટકા કેસો માટે કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર હતો. આપણે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વચ્ચે કોઈ મોટો ફર્ક જોયો નથી. તેથી કોરોનાના કેસોમાં અચાનક વધારાની આશંકા નથી જ્યાં સુધી કે કોઈ વધારે ચેપી વેરિયન્ટ સામે ન આવે.
લગભગ 30 ટકા જનસંખ્યા પર સંક્રમણનું જોખમ
હજુ પણ એવા લોકોની ટકાવારી ઘણી વધારે છે કે જેઓ સંક્રમણનો ભોગ બન્યા નથી અથવા તો જુદાજુદા કારણોથી વેક્સિન લીધા પછી પણ તેમનામાં પૂરતી એન્ટીબોડી બનતી નથી. દિલ્હીની લગભગ 30 ટકા જનસંખ્યા એવી છે અને તેની પર સંક્રમણનું જોખમ છે. તેમણે કહ્યું કે બે વસ્તુઓ થઈ શકે છે, પહેલી, જ્યાં સુધી સામૂહિક રીતે વાયરસ વિરોધી ક્ષમતા વિકસીત ન થાય ત્યાં સુધી વાયરસ લોકોને ધીરે ધીરે સંક્રમિત કરતો જોય અને બીજી એ છે કે એક નવો ચેપી વાયરસ સામે આવે જેનાથી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થાય ત્યાં સુધી કે જ્યાં સુધી તમામ લોકોમાં એન્ટીબોડી ક્ષમતા વિકસીત ન થઈ જાય.