એમ્સ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે કેરળમાં ત્રીજી લહેર ચાલુ થઈ છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે પરંતુ કેસો સતત વધી રહ્યાં છે તે સાચું છે.
એમ્સ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ આપ્યો જવાબ
ત્રીજી લહેર છે કે નહીં તે કહેવું મુશ્કેલ પણ કેસ વધી રહ્યાં છે
પોઝિટીવીટી રેટમાં પણ વધારો થઈ રહ્યો છે
ડોક્ટર ગુલેરિયાએ જણાવ્યું કે કેરળમાં સતત કેસો વધી રહ્યાં છે અને પોઝિટિવીટી રેટમાં પણ કોઈ સુધારો આવ્યો નથી. તેમણે કહ્યું કે એ કહેવું મુશ્કેલ છે કે કોરોનાની ત્રીજી લહેર છે કે નહીં પરંતુ ત્યાં કેસ સતત વધી રહ્યાં છે. કેરળમાં ટેસ્ટિંગ અને વેક્સિનેશન દ્વારા જ કોરોના પર કાબુ મેળવી શકાય છે. ઉલ્લેખનીય છે કે કેરળમાં ત્રીજી લહેર શરુ થઈ ગઈ હોવાનું મનાઈ રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા દિવસથી 30,000 ની ઉપર કેસો આવી રહ્યાં છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 45,352 નવા કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 45,352 નવા કેસ નોંધાયા, 34,791 સ્વસ્થ થયા અને 366 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા. ભારતમાં હાલમાં કુલ કેસ 3,29,03,289 છે જેમાંથી સક્રિય કેસ 3,99,778 છે. હાલમાં, 3,20,63,616 લોકો આ રોગથી સાજા થયા છે અને 4,39,895 લોકોનાં મોત નીપજ્યાં છે.
શાળા ખોલવાની સાથે કોરોનાના દર્દીઓ વધવા લાગ્યા
યુપી અને દિલ્હી સહિત દેશના 12 રાજ્યોમાં શાળાઓ ખોલવાની સાથે કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. 6 રાજ્યોમાં ચેપ દર 1 ટકાથી વધુ છે. તેમાં પંજાબ ટોચ પર છે. પ્રથમ શાળાઓ ત્યાં ખોલવામાં આવી હતી. આ સિવાય બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ આવું જ છે. આ અંગે કેન્દ્ર સરકારે રાજ્યોને કડક કોવિડ નિયમો માટે સૂચનાઓ જારી કરી છે. બીજી બાજુ, દેશમાં ગુરૂવારે 63 દિવસ પછી, દરરોજ કોરોનાના 47,092 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, 509 લોકો મૃત્યુ પામ્યા છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 39 નવા કેસ સામે આવ્યા છે. તે જ સમયે, એક પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો નથી.