વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ કે, નર્મદાથી લાભ ન થયો હોય તો રાજીનામું આપી દઈશ. સૌની યોજના અને સુજલામ સુફલામ યોજનાથી લાભ થયો છે.
નાયબ મુખ્યમંત્રીનો વિધાનસભા ગૃહમાં પડકાર
"નર્મદાથી લાભ ન થયો હોય તો રાજીનામું આપી દઈશ"
"અમે કામ જ એવું કર્યું છે કે ક્યારેય રાજીનામુ ન આપવું પડે"
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં પડકાર ફેક્યો હતો. નર્મદા વિકાસ યોજનાની માંગ પર ચર્ચા દરમિયાન તેમણે નિવેદન કર્યુ હતું તેમાં તેમણે જણાવ્યુ હતું કે નર્મદાથી લાભ ન થયો હોય તો રાજીનામું આપી દઈશ. સૌની યોજના અને સુજલામ સુફલામ યોજનાથી લાભ થયો છે. સૌની યોજના, સુજલામ સુફલામથી લાભ ન થયો હોય તો રાજીનામુ આરી દઇશ. અમે કામ જ એવું કર્યું છે કે અમારે ક્યારેય રાજીનામુ ન આપવું પડે.
નીતિન પટેલે કહ્યું કે, આદિવાસી મેચ જોવા આવ્યો હોય તો....
તો આ સાથે કોરોનાના સંક્રમણ વધતા સરકારને નિશાન બનાવતી કોંગ્રેસને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ તો આપ્યો પરંતુ મામલો ઉલટો પડ્યો હતો. ક્રિકેટ અને ચૂંટણીને કારણે કોરોના ફેલાયાની વાતો ખોટી હોવાનો ઉલ્લેખ નીતિન પટેલે કર્યો હતો.
નીતિન પટેલે તર્ક સાથે કહ્યું કે, ક્રિકેટ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાઈ છે. અને કોરોનાના સુરત, રાજકોટમાં કેસ વધ્યા છે. આ પછી નીતિન પટેલ બોલ્યા કે, કોઈ આદિવાસી ક્રિકેટ જોવા આવ્યો હોય તો ટિકિટ બતાવો. બસ આટલી વાત પર આદિવાસી મુદ્દે હોબાળા બાદ કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યોએ ગૃહ છોડ્યું હતું