રાજસ્થાનમાં બળવા બાદ કોંગ્રેસ હાઈ કમાન્ડ સીએમ અશોક ગેહલોત પર કોપાયમાન થયા છે અને તેમને અધ્યક્ષ પદની રેસમાંથી બહાર કર્યાં હોવાનો દાવો સૂત્રોએ કર્યો છે.
રાજસ્થાનના CM અશોક ગેહલોતને મોટો ઝટકો
કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી થયા આઉટ
સૂત્રોનો મોટો દાવો
ગઈકાલે બળવો કરતા કોંગ્રેસ હાઈકમાન્ડ ગુસ્સે
હાઈકમાન્ડ અધ્યક્ષ તરીકે બીજા નેતાઓની કરી વિચારણા
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહેલા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને મોટો ઝટકો લાગ્યો છે. જયપુરમાં ગઈકાલના કોંગ્રેસ ધારાસભ્યોના બળવા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે આકરુ પગલું ભરતાં અશોક ગેહલોતને કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી આઉટ કરી દીધા છે. મુખ્યમંત્રી તરીકે સચિન પાયલટની વરણ થવાની ચર્ચાની વચ્ચે ગઈકાલે સીએમ ગેહલોતના વફાધાર ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા જે પછી સોનિયા ગાંધીને મલ્લિકાર્જન ખડગે અને અજય માકનને આ મુદ્દાનો ઉકેલ લાવવાનું જણાવીને હાઈકમાન્ડને રિપોર્ટ આપવાનું જણાવાયું હતું જે અનુસાર આ બન્ને નેતાઓ આજે દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યાં હતા અને તેમને રિપોર્ટ સોંપ્યો હતો જે પછી એવું બહાર આવ્યું હતું કે હાઈકમાન્ડ અશોક ગેહલોત અધ્યક્ષની ચૂંટણી લડે તેવું નથી ઈચ્છતો.
Delhi: Mallikarjun Kharge, Ajay Maken to submit report to Sonia Gandhi on Rajasthan political crisis
ગેહલોત જૂથમાંથી રાજસ્થાનના CM બનાવવા માંગ MLAsની માગઃ અજય માકન
રાજસ્થાનના નવા CMને લઈ સોનિયા ગાંધી સાથે બેઠક બાદ અજય માકને કહ્યું કે, ધારાસભ્ય દળની બેઠક ના થઈ શકી. જે ધારાસભ્ય મળ્યા એમણે 3 શરત રાખી. પ્રથમ શરત 19 ઓક્ટોબર પછી રાજસ્થાનના સીએમ પર નિર્ણય. ગેહલોત જૂથમાંથી રાજસ્થાનના CM બનાવવા માંગ કરી. ધારાસભ્યોના દળ સાથે વાત કરવાની માંગ કરી. કોંગ્રેસ અધ્યક્ષે લેખિત રિપોર્ટ માગ્યો.
હવે ચાર નામની વિચારણા
અશોક ગેહલોતના આઉટ થયા બાદ હવે કોંગ્રેસના ચાર નેતાઓ મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ, કેસી વેણુગોપાલ રાષ્ટ્રપતિ પદની રેસમાં ભાગ લઈ રહ્યા છે. સીડબ્લ્યુસીના એક સભ્ય અને પક્ષના એક નેતાએ એમ પણ કહ્યું હતું કે ગેહલોતે જે રીતે વર્તન કર્યું તે પાર્ટીના નેતૃત્વ સાથે સારું ન હતું.
પાર્ટી અમારી વાત માને તો સંકટ ટળી જશે- પ્રતાપ સિંહ ખાચરિયાવાસ
સચિન પાયલટને સીએમ ન બનવા દેનાર ધારાસભ્યોની આગેવાની કરનાર પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે સરકાર પડી નથી. અમારા પરિવારના વડા અમારી વાત સાંભળશે તો નારાજગી દૂર થઈ જશે. લોકશાહી સંખ્યાથી ચાલે છે. રાજસ્થાનના ધારાસભ્યો જેમની સાથે હશે તેઓ નેતા હશે. ખાચરિયાવાસે કહ્યું કે 100થી વધારે ધારાસભ્ય એક બાજુ છે અને બીજી બાજુ 10-15 ધારાસભ્યો છે. 10-15 ધારાસભ્યોની વાત સાંભળી લેવામાં આવે છે. પાર્ટી અમારી વાત સાંભળતી નથી.
અશોક ગેહલોતના ઘેર ધારાસભ્ય દળની બેઠક પહેલા સર્જાયો ઘટનાક્રમ
મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘેર ધારાસભ્ય દળની બેઠક બોલાવાઈ હતી. તેને માટે દિલ્હીથી મલ્લિકાર્જુન ખડગે, અજય માકન જયપુર પહોંચ્યાં હતા. બેઠકમાં પાર્ટી હાઈકમાન્ડને નવા મુખ્યમંત્રીની પસંદગી કરવાનું જણાવાયું હતું. હાઈકમાન્ડ સચિન પાયલટને સીએમ બનાવવાની તરફેણમાં છે પરંતુ સચિન પાયલટ સીએમ બને તેવું ગેહલોત કેમ્પના ધારાસભ્યોને મંજૂર નથી.