ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાને કારણે 13 લોકોના મોત થયા છે. સાથેજ હજુ પણ ઘણા બધા લોકો પહાડી વિસ્તારમાં ગાયબ છે જેમને શોધવા રેસ્ક્યું ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે.
ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે 13 લોકોના મોત
ફસાયેલા લોકો માટે રેસ્ક્યુ ઓપરેશન યથાવત
9 કુલીઓ સહિત 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
હિમાલયના પડાહી વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે 10 ટ્રેકરો સહિત અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. મૃતકોમાં ઉત્તરકાશી જિલ્લામાં ભારત-ચીન સીમા પર તૈનાત ભારત અને તિબ્બત પોલીસ માટે કામ કરતા ત્રણ કુલીના પણ મોત થયા છે. કુલ પાંચ લોકોને અત્યાર સુધીમાં બચાવામાં આવ્યા છે. જોકે 6 લોકો હજુ પણ લાપતા છે.
8 ટ્રેકર્સ પહાડી વિસ્તારમાંથી ગાયબ
14 ઓક્ટોબરે દેહરાદૂનથી 230 કિમી દૂર ઉત્તરકાશી જિલ્લામાં એક ટ્રેકર્સ નું ગ્રુપ ગાયબ થઈ ગયુપં હતું. જોકે તેમની સાથે 9 કુલીઓ સહિત 6 લોકો સુરક્ષિત પરત આવવામાં સફળ રહ્યા હતા. તેમણે 3 ગાયબ થયેલા કુલી તેમજ 8 ટ્રેકર્સ પણ શામેલ હતા. જેઓ ગાયબ થતા અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
5 લોકોના મૃતદેહ મળી આવ્યા
સમગ્ર મામલે આજે વાયુસેના દ્વારા 5 લોકોના મૃતદેહ શોધવામાં આવ્યા. જોકે એક ટ્રેકરનો જીવ બચાવાવામાં બચાવ કર્મીઓ સફળ રહ્યા હતા. જેને આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જે આઠ ટ્રેકરો ગાયબ થયા હતા. તેમાથી સાત પશ્ચિમ બંગાળના હતા જ્યારે એક ટ્રેકર દિલ્હીનો હતો.
17 ઓક્ટોબરે મૃતકો ગાયબ થયા હતા
જે પાંચ લોકોના મૃતદેહ મળ્યા તેમાથી 2 લોકો આઈટીબીપીના કુલી પહતા જેઓ જવાનો સાથે 15 ઔક્ટોબરે રવાના થયા હતા. જોકે 17 ઓક્ટોબરે ભારે હિમવર્ષાને કારણે તેઓ ગાયબ થઈ ગયા હતા. જોકે બાદમાં જિલ્લા પ્રશાસન દ્વારા તેમને બચાવવા માટે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા હતા. જેતી ત્યા લોકોને બચાવી શકાય.
22 પર્યટકોને બચાવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે બચાવકાર્યમાં જોડાયેલું એક ગ્રુપ દ્વાલી ગ્લેશિયર પહોચ્યું હતું જ્યાથી તેમણે 22 પર્યટકોને બચાવ્યા હતા સાથેજ ત્યા અન્ય પર્યટકોને બચાવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં કુદરતી પ્રકોપને કારણે અત્યાર સુધીમાં કુલ 50થી પણ વધારે લોકોના મોત થયા છે. સાથેજ હજું પણ ઘણા લોકો અહીયા ગાયબ છે.