જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલાની આશંકાને લઈને અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. મોટા આતંકી હુમલાની સંભાવનાને લઈને સરકારે યાત્રીઓને જમ્મૂ કશ્મીર છોડવા એડવાયઝરી જાહેર કરી છે. આ સાથે જ પાકિસ્તાની બનાવટનું હથિયાર તથા IED મળી આવતા સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
J&K govt issues security advisory in the interest of #AmarnathYatra pilgrims and tourists, "that they may curtail their stay in the Valley immediately and take necessary measures to return as soon as possible", keeping in view the latest intelligence inputs of terror threats. pic.twitter.com/CzCk6FnMQ6
નોંધનીય છે કે, પહેલા 10 હજાર વધારાના સૈનિકોને તૈનાત કર્યા બાદ વધુ 26 હજાર સૈનિકોને કશ્મીરમાં મોકલવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમરનાથયાત્રા ટૂંકાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Jammu & Kashmir: The Pakistan Ordnance factory anti-personnel mine recovered from a terror cache busted by security forces. pic.twitter.com/d0g4zui5Y4
કારણ કે, સરકારને આતંકી હુમલાના ઇનપુટ મળ્યા છે. આ સાથે જ લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લનના જણાવ્યા અનુસાર અમરનાથ યાત્રાના રૂટના ચેકિંગ દરમિયાન IED અને સ્નાઇપર જેવા હથિયાર પ્રાપ્ત થયા છે. ત્યારે સરકારે યાત્રીઓને શક્ય તેટલા જલ્દી કાશ્મીર છોડવા સૂચન કર્યું છે.
Lt General KJS Dhillon in Srinagar:We had done in-depth analysis of terrorism in Kashmir. 83% of local people who pick up weapons had record of stone-pelting.I request all mothers,if today your child throws stones at security forces for Rs 500 then he'll become terrorist tomorrow pic.twitter.com/Y7GUdF2u18
ઢિલ્લને વધુમાં કહ્યું કે, પાકિસ્તાન દ્વારા અમરનાથ યાત્રાને IED ધમાકા દ્વારા નિશાન બનાવવામાં આવવાની તૈયારીઓ અંગે પણ ઇનપુટ પ્રાપ્ત થયાં છે જેને લઇને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાની બનાવટનું હથિયાર મળ્યું
સેનાના જણાવ્યા મુજબ, સર્ચ ઓપરેશન દરમિયાન પાકિસ્તાનની શસ્ત્ર ફેક્ટરીમાં આકાર પામેલ બારુદી સુરંગ પણ મળી આવી આવી છે જેના પર પાકિસ્તાનની શસ્ત્ર ફેક્ટરીનું નિશાન પણ છે.