17મી લોકસભાની પ્રથમ સત્રમાં આજરોજ નવા સાંસદોને શપથ લેવડાવવામાં આવ્યા છે. આ સમારોહ આવતીકાલે પણ યોજાવાનો છે. આ દરમિયાન તમામ સાંસદોએ પોતાના પદ તથા ગોપનિયતાના શપથ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, આ તમામ સાંસદોને સપથ લેવડાવવા માટે ભાજપના સાંસદ ડોક્ટર વીરેન્દ્ર કુમારની પ્રોટેમ સ્પીકર તરીકે વરણી કરવામાં આવી હતી. પરંતુ લોકસભામાં તમામ લોકોની નજર તે મહિલા પર આવીને સ્થિર થઇ હતી જે નવા સભ્ચોને પદની ગોપનિયતાના શપથ લેવડાવી રહી હતી.
સ્નેહલતા શ્રીવાસ્તવ છે કોણ
સાંસદોને શપથ અપાવનાર મહિલા અન્ય કોઇ નહીં પરંતુ તેણી લોકસભાની મહાસચિવ છે. તેમનું નામ સ્નેહલતા શ્રીવાસ્તવ છે. આ પદ પર 1 ડિસેમ્બર 2017ના રોજ તેમની નિમણૂંક થઇ હતી. તેઓ મધ્યપ્રદેશ કેડરની 1982ની બેચના IAS અધિકારી છે.
સ્નેહલતા શ્રીવાસ્તવ મૂળરૂપે ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી છે, તેમનો જન્મ 18 સપ્ટેમ્બર 1957ના રોજ કાનપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ રમેશચંદ્ર શ્રીવાસ્તવ છે તથા માતાનું નામ પ્રેમલતા શ્રીવાસ્તવ છે. તેમના લગ્ન 19 નવેમ્બર 1985માં ડો. સંજય શ્રીવાસ્તવ સાથે થયા હતા. આ અધિકારીઓ ભૂગોળ વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ છે.
આ પદ પર કરી ચૂક્યા છે કામ
તેમણે પોતાનું પ્રથમ પોસ્ટીંગ 1985 થી જૂલાઇ 1988 સુધી જુનિયર સચિવ તથા એડિશન કલેક્ટર ભોપાલ ગેસ રાહત પૂનર્વાસ, મધ્યપ્રદેશન સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ મંદસૌર ના કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટ, ઉપ સચિવ ગૃહવિભાગ મધ્યપ્રદેશ, ઉપ સચિવ ઉર્જા મધ્યપ્રદેશ, ઉપ સચિવ વાણિજ્ય તથા ઉદ્યોગ મધ્યપ્રદેશ, જેવા અનેક હોદ્દાઓ પર તેમણે ફરજ બજાવી છે. હાલ તેઓ ગૃહના મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે.