ટીવીની લોકપ્રિય અભઇનેત્રી સ્નેહા વાઘના પિતા ગણેશ વાઘનું કોરોનાથી નિધન થતા પરિવાર અને ટેલીવુડમાં આઘાતનું મોજું ફરી વળ્યું.
ટીવીની લોકપ્રિય અભિનેત્રી સ્નેહા વાઘના પિતા ગણેશ વાઘનું નિધન
ન્યુમોનિયા અને કોરોનાને કારણે થયું અવસાન
સ્નેહાએ ઈમોશનલ પોસ્ટ દ્વારા પિતાને શ્રદ્ધાંજલિ આપી
ન્યુમોનિયા અને કોરોનાએ જીવ લીધો
દ સ્નેહાએ પિતાના નિધનની ખબર આપી. સ્નેહાએ એક ઈમોશનલ પોસ્ટ પર લખ્યું કે 27 એપ્રિલે મારા પિતાએ આખરી શ્વાસ લીધો. તેઓ પહેલેથી જ ન્યુમોનિયાથી પીડિત હતા જેને કારણે તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને તે તેમના મોતનું કારણ બન્યું.
સ્નેહાએ તેના ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર પિતાને યાદ કરતા બે અલગ અલગ પોસ્ટ શેર કરી. સ્નેહાની આ પોસ્ટ ખૂબ ઈમોશનલ છે. સ્નેહાની પોસ્ટ સાથે જ ચાહકો અને ટીવી સિતારાઓએ તેના પિતાને શ્રદ્ધાંજલિ રુપી કોમેન્ટ આપી હતી.
હમેંશા અમારા હીરો રહેશો-સ્નેહા
સ્નેહાએ લખ્યું કે પ્રિય પાપા, તમે તમારા હૂંફાળા શબ્દો દ્વારા ઘણા લોકોના ચહેરા પર હાસ્ય લાવ્યાં. ઘણા લોકોના દિવસો સુધાર્યાં. તમે ખૂબ જ ધૈર્યવાન પુરુષ હતા, ખૂબ જ લાગણીસભર હૃદય ધરાવતા હતા. તમે અમને મજબૂત અને વિશ્વાસું બનવાનું શીખવ્યું. તમે અમને અમારા સપના સાકાર કરવા સ્વમાન શીખવ્યું. તમે વારેવાર અમને વફાદાર, નમ્ર, પ્રામાણિક અને શ્રેષ્ઠ કક્ષાના માનવ બનવાનું શીખવ્યું. તમે હમેંશા અમારા હીરો રહેશો. ખૂબ જ હૃદયદ્રાવક છે કે અમે અમારે તમારા અવકાશમાં રહેવું પડશે. અમે તમને ભાવભીની વિદાય પણ ન આપી શક્યા. અમે કશું કરી શકીએ તેવી હાલતમાં નહોતા.
કહત હનુમાન જયશ્રી રામમાં ભજવી હતી ભૂમિકા
સ્નેહા વાઘ છેલ્લી વાર ટીવી શો કહત હનુમાન જયશ્રી રામમાં નજરે ચડી હતી. સ્નેહાએ જાન્યુઆરી 2015 માં બિઝનેશમેન અનુરાગ સોલંકી સાથે લગ્ન કર્યાં હતા પરંતુ પાછળથી તેઓ અલગ થઈ ગયા હતા.