જમુઈનાં દેવી સ્થાન પર શિવ પાર્વતીની મૂર્તિ મળી આવતા ત્યાં નાગદેવ પણ જોવા મળ્યા તથા અહીના લોકો કહે છે કે અહી ઘણીવાર નાગદેવ જોવા મળે છે.
જમુઈનાં દેવી સ્થાન પર મળી આવી શિવ પાર્વતીની મૂર્તિ
નાગદેવ પણ અહી જોવા મળ્યા
લોકોએ કહ્યું પોતાના ભગવાનની રક્ષા કરી રહ્યા છે
જમુઈનાં દેવી સ્થાન પર મળી આવી શિવ પાર્વતીની મૂર્તિ
પોતાના ભગવાનની સુરક્ષા કરતા નાગ દેવતા અહી જોવા મળ્યા. ખોદકામ સમયે પણ તે હાજર રહ્યા. આવી ચર્ચાઓ જમુઈનાં દેવી સ્થાન પર ત્યારે શરુ થઇ, જ્યારે ત્યાં તળાવ સુંદરીકરણનાં કાર્ય દરમિયાન ખોદકામ કરતા 13મી સદીની અદ્ભુત શિવ પાર્વતીની મૂર્તિઓ મળી. જોતજોતામાં આસપાસનાં ઘણા ગામના લોકો ભગવાન શિવનાં દર્શન માટે પહોંચી ગયા. કેમેરામાં પાસે માટીવાળા વાહન પર બિરાજમાન નાગદેવ પણ કેદ થઇ ગયા.
નાગદેવ પણ અહી જોવા મળ્યા
સ્થાનિક લોકોએ આ આસ્થાની દ્રષ્ટિએ જોયું. અમુક લોકોએ જણાવ્યું કે મોટેભાગે દેવી સ્થાન પર સાપ જોવામાં આવ્યા છે. આ પાછળનું રહસ્ય હવે સામે આવ્યું છે, જ્યારે આ અત્યંત પ્રાચીન મૂર્તિઓ મળી. નાગ દેવતા પોતાના ભગવાનની રક્ષા કરી રહ્યા હતા.જ્યારે ગામના વડીલો પણ આ સ્વીકાર કરતા જણાવે છે કે આ પહેલી વખત નથી કે અહી સાપ મળ્યા હોય. તમે બધા પ્રાચીન મંદિરો, ખજાનાઓમાં તેમને પહેરો આપતા જોઈ શકશો. અહિયાં પણ કંઈક આવી જ ઈશ્વરીય માયા જોવા મળી.
લોકોએ કહ્યું પોતાના ભગવાનની રક્ષા કરી રહ્યા છે
જમુઈ જીલ્લાનાં સિકંદરા પ્રખંડ ક્ષેત્રનાં કુમાર ગામમાં માતા નેતુલા મંદિર સ્થિત તળાવનાં સુંદરીકરણને લઈને ચાલી રહેલ ખોદકામમાં ભગવાન શંકરની દુર્લભ પ્રાચીન શિવલિંગ ઉપરાંત એક દેવીની પણ મૂર્તિ મળી છે. આ સૂચના પુરાતત્વ વિભાગને આપવામાં આવી હતી. જ્યારે આ વિભાગ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે આ મૂર્તિઓ તે જ સમયે, વિભાગ સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું કે આ મૂર્તિઓ પાલ કાળની લાગે છે, જે એક શોધનો વિષય છે.