પંચમહાલના સંતરામપુરાના આજણવા ગામની એક અનોખી ઘટના સામે આવી છે. ખેડૂત જ્યારે ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતો તે દરમિયાન આ ઘટના બની હતી.
જેમાં સાપે ખેડૂતને ડંખ મારતા ઉશ્કેરાયેલા ખેડૂતે સાપને બચકા ભર્યા હતા. ત્યારબાદ ખેડૂતોના પરિવારજનોએ સાપને સળગાવ્યો હતો. જ્યારે સાપના ડંખથી ઇજાગ્રસ્ત ખેડૂતનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મહત્વનું છે કે, ખેડૂત જ્યારે ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક સાપે ડંખ મારી દીધો હતો. જ્યારબાદ ખેડૂતે ઉગ્ર થઇને સાપને બચકા ભરી લીધા હતા. જ્યાર બાદ સાપને સળગાવી દેવાયો હતો. ખેડૂતને ઝેર ચઢતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જોકે ઉશ્કેરાયેલા ખેડૂતે સાપને ખેડૂતના હાથના ભાગે ડંખ માર્યો હતો. આવેશમાં આવીને ખેડૂતે સાપને બચકા ભર્યા હતા. ત્યાર બાદ સાપને સળગાવ્યો પણ હતો. ઇજાગ્રસ્ત ખેડૂતને ગોધરા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.