હાલ સ્મૃતિએ તેના નવા ઈન્ટરવ્યુમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતાં એમની આંખમાં આંસુ આવી ગયા હતા, બોલી મને એકવાર ફોન કરી દીધો હોત તો..
સ્મૃતિ ઈરાનીએ ફરી એકવાર સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યો
સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતાં રડી પડી સ્મૃતિ ઈરાની
બોલી મને એકવાર ફોન કરી દીધો હોત તો..
વર્ષ 2020 માં સુશાંત સિંહ રાજપૂતના અચાનક મૃત્યુથી દરેક લોકો ચોંકી ગયા હતા. કથીત રીતે સુશાંતના આત્મહત્યા કેસમાં ચાહકો હજુ પણ તેના માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ ફરી એકવાર સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યો હતો.
સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતાં રડી પડી સ્મૃતિ ઈરાની
કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ ટીવી અભિનેત્રી સ્મૃતિ ઈરાની ભલે ફિલ્મી પડદાથી દૂર હોય પણ તે હજુ પણ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ સાથે સારા મિત્રો છે. સ્મૃતિ ઈરાની ઘણીવાર સેલેબ્સ સાથે જોવા મળે છે. તે ઈન્ડસ્ટ્રીના તેના મિત્રો સાથે સમય વિતાવે છે અને તેમની મદદ પણ કરે છે. હાલ સ્મૃતિએ તેના નવા ઈન્ટરવ્યુમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતાં એમની આંખમાં આંસુ આવી ગયા હતા. સ્મૃતિ ઈરાનીએ ખુલાસો કર્યો કે સુશાંત સિંહ રાજપૂતના નિધનની ખબર સાંભળીને તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. તેણી મીટિંગ કરી રહી હતી અને તેણે તરત જ તેને રોકી દીધી.
મને એકવાર ફોન કરી દીધો હોત તો..
સ્મૃતિ ઈરાનીએ ઈન્ટરવ્યૂમાં સુશાંતને યાદ કરતાં કહ્યું હતું કે, 'મને યાદ છે જે દિવસે સુશાંતનું અવસાન થયું, હું વીડિયો કોન્ફરન્સ પર હતી અને મારી સાથે એ સમયે ઘણા લોકો જોડાયેલ હતા પણ એ સમયે મેં કહ્યું કે હું હાલ વાત નહીં કરી શકું અને મે મારુ એ કામ પડતું મૂકી દીધું. એ સમયે સૌથી પહેલા મેં એ વિચાર્યું કે તેને મને ફોન કેમ ન કર્યો, બસ મને એકવાર ફોન કરી દીધો હોત તો.. મેં એ છોકરાને કહ્યું હતું કે તું યાર તેને મારી ન નાખતો.' આ ખબર પછી મને તરત જ અમિત સાધ માટે ડર લાગ્યો. જ્યારે મેં અમિતને ફોન કર્યો, ત્યારે તેને મને કહ્યું, "નથી રહેવું... શું કર્યું આ ઇડીયટે".
સ્મૃતિ આગળ કહે છે, 'અમિત દિલ્હીમાં જ્વેલરી શોપમાં ગાર્ડ હતો. તે ખૂબ નાનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું. મને સમજાયું કે કંઈક ખોટું થઈ શકે છે. પબ્લિસિસ્ટ રોહિણી અય્યરે મને કહ્યું, "મને ડર લાગે છે કોઈ તેને શોધો". પછી સ્મૃતિ એ અમિતને ફોન કર્યો, તો તેણે પૂછ્યું, તમે કામમાં વ્યસ્ત તો નથીને? મેં કહ્યું, ના, ચાલો વાત કરીએ. જએ બાદ અમે 6 કલાક સુધી વાત કરી.