કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સુરત શહેરની મુલાકાતે છે. સ્મૃતિ ઇરાનીએ આજરોજ ડુમસ બિચ પર યુવાનો સાથે બીચના સફાઇ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સ્મૃતિ ઇરાનીએ JNU મુદ્દે જવાબ આપતાં કહ્યું કે હંગામો કરી રહેલા યુવાઓએ સુરતના યુવાનો પાસેથી શીખવું જોઇએ.
સ્મૃતિ ઇરાનીએ ડૂમસ બિચ સફાઇ કાર્યક્રમમાં આપી હાજરી
યુવાનો દેશને આગળ વધારી શકે છે
યુવા દિવસે યુવાનોને આપી શુભકામના
JNU મુદ્દે કેન્દ્રીય મંત્રીએ સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે હિંસાત્મક ઘટનાને અંજામ આપનાર યુવાનોએ રચનાત્મક પ્રવૃત્તિ કરતા સુરતના યુવાનોમાંથી પ્રેરણા લેવી જોઇએ. સ્મૃતિ ઇરાનીએ યુવા દિવસે યુવાનોને શુભકામના આપી.
સુરતની મુલાકાતે આવેલા ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ મીડિયા સાથે રૂબરૂ થતાં JNU હિંસા મુદ્દે સવાલ કરતાં જણાવ્યું હતું કે, આજે યુવા દિવસના અવસરે હું એ દરેક યુવાનની પ્રવૃત્તિને બિરદાવું છું. જે તેમની રચનાત્મક પ્રવૃત્તિ દ્રારા દેશના નિર્માણનું કામ કરે છે.
ઉલ્લેખનિય છે કે ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાની સુરતમાં સ્વચ્છતા સર્વેક્ષણ અતંર્ગત ડુમસ બીચની અન્ય મહિલાઓ સાથે સફાઇ કરી હતી.PM મોદીના ક્લિન મીશન ઇન્ડિયા અંતર્ગત તેઓ બીચની સફાઇ કરીને ભારતને સ્વચ્છ અને સુંદર બનાવવા લોકોને સહયોગ કરવા માટે અપીલ કરી હતી. નોંધનિય છે કે તેઓ ક્લિન ઇન્ડિયા મિશન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણમુદ્દે પ્રવાસ કરી રહ્યાં છે.