કોરોના વાયરસ રોગચાળાના ચેપને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉને કારણે અર્થતંત્ર પર નોંધપાત્ર દબાણ વધ્યું છે. જેના કારણે વિવિધ ઉદ્યોગો સરકાર પાસેથી રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. તે જ સમયે, કાપડ ઉદ્યોગ દ્વારા રાહત પેકેજની માંગ પર કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે તેમણે નાણાંકીય પેકેજ માંગવાનું બંધ કરવું જોઈએ અને પોતાને એક નવા વાતાવરણમાં ઢળવું જોઈએ.
જનતા દરેક પૈસાનો હિસાબો માંગે છે
સરકાર મદદ માટે તમામ શક્ય પગલાં લઈ રહી છે
સ્મૃતિએ કહ્યું સરકાર પર નાંણા મુદ્દો બહું દબાણ છે
કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રવિવારે મર્ચન્ટ્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સભ્યો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કાપડ ઉદ્યોગએ સરકાર પાસેથી નાંણાકીય પેકેજીસની માંગ બંધ કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે કોરોના વાયરસ રોગચાળાને કારણે સરકારના નાંણાકીય મુદ્દા પર બહું દબાણ છે.
તેમણે કહ્યું કે આ ઉદ્યોગ માટે આત્મ નિરીક્ષણનો સમય છે. કાપડ ઉદ્યોગ પેકેજ અથવા સપોર્ટની માંગ કરી રહ્યું છે. હવે નવી દિશા અને નવી વિચારસરણીનો સમય છે. ઉદ્યોગમાં સંભાવના છે. જો તેઓ પોતાને નવા વાતાવરણમાં ઢાળે છે, તો તેઓને કોઈ પર આધારિત હોવાની જરૂર નથી.
જનતા દરેક પૈસાનો હિસાબો માંગે છે
ઇરાનીએ છેલ્લા દોઢ મહિનામાં ડોકટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ માટે પીપીઇ (વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો) બનાવવાનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે કાપડ કંપની જેસીટી જૂથે લોકડાઉન દરમિયાન પંજાબના ઓરંગાબાદમાં પ્રયોગશાળાઓમાં પી.પી.ઇ.ના નમૂના મોકલવામાં મદદ માટે વિનંતી કરી હતી અને આ માટે સરકારે કંપનીને મદદ કરી હતી.
કાપડ મંત્રીએ ઉદ્યોગ મંડળના સભ્યોને કહ્યું કે તમે જે પૈસાની અપેક્ષા કરો છો તે લોકોના પૈસા છે અને હવે નાગરિકો દરેક એક એક પૈસાનો હિસાબ માંગે છે. ઇરાનીએ કહ્યું કે સરકારનું કામ નીતિ બનાવવી અને ટેકો પૂરો પાડવાનું છે.
સરકાર મદદ માટે તમામ શક્ય પગલાં લઈ રહી છે
ઈરાનીએ કહ્યું કે સરકાર પોતાના તરફથી સહાય માટે તમામ શક્ય પગલાં લઈ રહી છે. રિઝર્વ બેંક પહેલાથી જ છૂટ આપી છે અને બેંકો કંપનીઓને સંકટ દૂર કરવામાં મદદ કરી રહી છે. તેમણે કહ્યું કે કાપડ મંત્રાલય પશ્ચિમ બંગાળ સરકાર સાથે જુટ ઉદ્યોગને મદદ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવા માટે વાતચીત કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે રાષ્ટ્રીય જૂટ બોર્ડ જુટની ગુણવત્તામાં સુધારો લાવવાનાં પગલાં લઈ રહ્યું છે. ઉદ્યોગે જુટની ગુણવત્તામાં સુધારો લાવવા માટે તેના નફાના એક ભાગને આધુનિકરણમાં રોકાણ કરવાની જરૂર છે.