ગોવા રેસ્ટોરન્ટ વિવાદ પર દિલ્હી હાઈકોર્ટે એવું કહ્યું છે કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમની દીકરીએ ક્યારેક પણ રેસ્ટોરન્ટ માટે અરજી કરી નથી.
ગોવા રેસ્ટોરન્ટ વિવાદ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને મોટી રાહત
દિલ્હી હાઈકોર્ટે કહ્યું- સ્મૃતિ ઈરાની અને તેમની દીકરી રેસ્ટોરન્ટના માલિક નથી
ઈરાની કે તેમની પુત્રીએ ક્યારેય પણ લાઈસન્સ માટે અરજી કરી નથી- દિલ્હી હાઈકોર્ટ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને તેમની પુત્રીના ગોવામાં કહેવાતા બાર અને રેસ્ટોરન્ટ કેસની દિલ્હી હાઈકોર્ટમાં સોમવારે સુનાવણી ચાલી હતી. સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મિની પુષ્કરને એવો ચુકાદો જાહેર કર્યો કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને તેમની દીકરી (ઝોઈશ ઈરાની) રેસ્ટોરન્ટના માલિક નથી. કોર્ટે એવું પણ કહ્યું કે તેમણે બન્નેએ રેસ્ટોરન્ટના સંદર્ભમાં ક્યારેય લાઇસન્સ માટે અરજી કરી ન હતી.
હાઈકોર્ટે બચાવપક્ષના વકીલોને આડેહાથ લીધા
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે બચાવ પક્ષના લોકો (કોંગ્રેસના ત્રણ નેતાઓ)એ કેટલાક અન્ય લોકો સાથે મળીને ખોટી વાતો કરી હતી. તેમણે સ્મૃતિ ઈરાની અને તેમની પુત્રી પર વ્યક્તિગત પ્રહારો પણ કર્યા હતા. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે આમ કરવાથી સ્મૃતિ ઈરાનીની છબી ખરડાઈ છે. દિલ્હી હાઈકોર્ટના જણાવ્યા અનુસાર, વાસ્તવિક તથ્યોની જાણકારી મેળવ્યા વગર મોટા આરોપો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે સ્મૃતિ ઈરાની અને તેમના પરિવારની છબીને નુકસાન પહોંચ્યું હતું.
Delhi HC has observed that considering the documents on record it is clearly seen that there was no license ever issued in favour of the plaintiff (Smriti Irani) or her daughter while directed Congress leaders to take down their contents from social media related to Goa Bar issue pic.twitter.com/CNeeMx9YMv
શું છે મામલો
આ મામલો ગોવાના સિલી સોલ્સ કાફે અને બારનો છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ આરોપ લગાવ્યો હતો કે સ્મૃતિ ઇરાનીની પુત્રી ગોવામાં એક રેસ્ટોરન્ટ ચલાવી રહી છે, જેણે 13 મહિના પહેલા મૃત્યુ પામેલા એક વ્યક્તિના નામે બનાવટી લાઇસન્સ મેળવ્યું હતું. સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલા સિવિલ માનહાનિના કેસમાં દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના નેતા જયરામ નરેશ, પવન ખેરા અને નેટ્ટા ડિસોઝાને સમન જારી કરીને આગામી સુનાવણીમાં જવાબ સાથે હાજર થવા જણાવ્યું છે. બદનક્ષીનો સિવિલ દાવો હોવાથી સમન્સ પણ જારી કરવામાં આવ્યા છે.
આ કેસની હવે 18 ઓગસ્ટે વધારે સુનાવણી
દિલ્હી હાઈકોર્ટે આ કેસ 18 ઓગસ્ટ સુધી મોકૂક રાખ્યો છે. એટલે હવે હાઈકોર્ટ 18 ઓગસ્ટે આ કેસની વધુ સુનાવણી કરશે.