કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે અલગ અંદાજમાં જોવા મળી. ભાવનગરમાં બાળકો વચ્ચે સ્મૃતિ ઈરાનીએ તલવાર રાસ રમ્યો હતો. સ્મૃતિ ઇરાની બન્ને હાથોમાં તલવાર લઇને કરતબ કરતી નજરે આવી હતી. સ્મૃતિ ઈરાની સ્વામીનારાયણ ગુરૂકુલ મૂર્તિ સ્થાપના મહોત્સવમાં આ તલવાર રાસ કરતી નજરે આવી હતી. બાળકોએ પણ કરતબો દેખાડ્યાં હતા.
ભાવનગરમાં સ્મૃતી ઇરાનીનો તલવાર રાસ
વિદ્યાર્થીનીઓ સાથે બન્ને હાથમાં ખુલ્લી તલવારથી લીધો રાસ
સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે યોજાયેલા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ
જ્યાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં શિક્ષણની સાથેસાથે રાષ્ટ્રભક્તિનું પણ સિંચન વિદ્યાર્થીઓમાં કરાવવામાં આવી રહ્યું છે અને તેનું ઉદાહરણ ભાવનગરની સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા છે. મહત્વનું છે કે, અહીં તેમણે તલવાર રાસના કાર્યક્રમમાં બે હાથમાં ખુલી તલવાર લઈને યુવતીઓ સાથે તલવાર રાસ પણ રમ્યો હતો. ભાવનગરના આંગણે સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર દ્વારા 5 દિવસ માટે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ હાજર રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં વિવિધક્ષેત્રની મહિલા આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી. અહીં માતૃત્વ કેળવણી અને બાળકો પ્રત્યે કુટુંબના વડાઓની જવાબદારીને લઈને વાતો કરવામાં આવી હતી. અહીં શાળાની બાલિકાઓ દ્વારા વિવિધ કૃતિ ઓ રજૂ કરવામાં આવી હતી. આ સમયે એક તલવાર રસમાં ખુદ સ્મૃર્તિ ઈરાનીએ તલવાર હાથમાં ઉઠાવીને તલવાર રાસમાં ભાગ લીધો હતો અને ખુશી વ્યક્ત કરી હતી.