ભાજપ નેતા અને કપડા મંત્રી સ્મૃતિ ઇરાનીએ વધતા NPA માટે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જવાબદાર ગણાવ્યા છે. ઇરાનીએ કહ્યું કે કોંગ્રેસની ખોટી નીતિઓ જ એની પાછળ સૌથી મોટું કારણ છે.
જણાવી દઇએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે વધતા NPA માટે UPA ના શાસનકાળમાં થયેલો કોલસા કૌંભાડ અને રાજકાજથી સંબંધિીત વિવિધ સમસ્યાઓ એના માટે જવાબદાર છે. એમને એવું પણ કહ્યું કે એનડીએ સરકારનો સમય પહેલા નિર્ણય નહીં લેવાનો પણ એનું પ્રમુખ કારણ છે.
ઇરાનીએ કહ્યું કે રઘુરામ રાજનનું નિવેદન એવું સાબિત કરે છે એનપીએની વધતી સંખ્યાને લઇને કોંગ્રેસ જ જવાબદાર છે. રાહુલ ગાંધી પ્રિયંકા વાડ્રા અને સોનિયા ગાંધી પર પ્રહાક કરતાં ઇરાનીએ કહ્યું કે એમને કરદાતાઓના ધન પર નજર રાખી છે.
ઇરાનીએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીની કંપની યંગ ઇન્ડિયન માત્ર કોંગ્રેસ હિતમાં કામ કરે છે અને એમને પોતાની સંપત્તિ ઇન્કમ ટેક્સથી પણ છુપાવી છે.