દમણઃ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સંઘપ્રદેશ દમણની મુલાકાત લીધી હતી. જ્યાં મજદૂર દિવસ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી.
તો કામદારોને માત્ર 10 રૂપિયામાં ભોજન પુરુ પાડવા માટેની પણ યોજના શરૂ કરાશે. આ કાર્યક્રમ દરમિયાન આનંદીબેન પટેલે આગામી દિવસોમાં કેન્દ્રની મોદી સરકારની આગેવાનીમાં શ્રમીકોના કલ્યાણ માટે તમામ પ્રયાસ કરશે તેવી કામદારોને ખાતરી પણ આપી હતી. આ ઉપરાંત દુષ્કર્મ કેસ મુદ્દે આનંદીબેન પટેલે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.