દેશમાં થયેલા એક સર્વે મુજબ સ્મોકિંગ કરનારા અને શાકાહારી લોકોમાં કોરોનાના સંક્રમણનો ભય ઓછો રહે છે. આ સર્વે દેશની ઉચ્ચ રિસર્ચ સંસ્થા કાઉન્સિલ ઓફ સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) દ્વારા કરવામાં આવ્યો. CSIRએ આ સર્વે પૂરા દેશમાં કર્યા પછી આ દાવો કર્યો છે.
આ સર્વેમાં આ વાતનો ખુલાસો પણ થયો કે O બ્લડગ્રુપવાળાઓને કોરોનાનો ભય ઓછો હોય છે, જ્યારે B અને AB બ્લડગ્રુપવાળાઓને કોરોના સંક્રમણનો ભય સૌથી વધારે છે.
CSIR એ દેશભરમાં થયેલા આ સર્વે માટે 10,427 લોકોના સેમ્પલ લીધા છે. આ લોકો CSIR દેશના વિભિન્ન ભાગમાં હાજર 40 પ્રયોગશાળામાં કામ કરે છે અથવા તેમના પરિવારજનોમાંથી છે. આ સર્વેમાં લોકોને આ આઝાદી હતી કે તેઓ ભાગ લેવા ઇચ્છે છે કે નહીં. સર્વેનો હેતુ કોરોના સામેની એન્ટીબોડીઝની હાજરી અંગે જાણવાનો હતો.
સર્વેની શરુઆત CSIR એક સંસ્થાન ઇન્સ્ટીટયૂટ ઓફ જીનોમિક્સ એન્ડ એન્ટીગ્રેટિવ બાયોલોજી (IGIB) દિલ્હીએ કરી હતી. જેમાં 10,427 લોકોમાં 1058 એટલે કે અંદાજે 10.14 ટકા લોકોમાં કોરોના સામેના એન્ટીબોડીઝ મળ્યાં.
IGIBના સિનીયર સાઇન્ટિસ્ટ શાંતનુ સેનગુપ્તાએ જણાવ્યું કે ત્રણ મહીના પછી જ્યારે ફોલોઅપ લેવામાં આવ્યું ત્યારે ખબર પડી કે 346 લોકોમાં કોરોના સામેની એન્ટીબોડીઝ સ્થિર છે, પરંતુ કોરોના ખત્મ કરનારી પ્લાઝ્મા ગતિવિધિ થઇ રહી છે. છ મહીના પછી જ્યારે ફરી સેમ્પલિંગ કરવામાં આવી તો ખબર પડી કે 35 લોકોમાં એન્ટીબોડીનું સ્તર ઘટી રહ્યું છે. પરંતુ પ્લાઝમા ગતિવિધિની સક્રિયતા ઉચ્ચ સ્તર પર છે.
શાંતનુએ કહ્યું કે અમારામાં સ્ટડીમાં આ વાત સામે આવી છે કે સ્મોકિંગ કરનારા અને કોરોના સંક્રમણનો ભય ઓછો રહે છે. જ્યારે આ ઘણી આશ્ચર્ય કરનારી વાત છે, કારણ કે કોોરના ફેફસાઓને પહેલું નુકસાન પહોંચાડે છે. અહીં સ્મોકિંગ ફેફેસાઓને કોરોનાથી બચાવી રહ્યું છે, આ એક ઘણો ઉંડો અભ્યાસ કરનાર વિષય છે.
આ માત્ર ભારતમાં નથી, આ અગાઉ ન્યૂયોર્ક, ઇટાલી, ફ્રાંસ અને ચીનમાં થયેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે કે સ્મોકિંગ કરનારા લોકોને કોરોના સંક્રમણનો ભય ઓછો રહે છે.
CSIRના સર્વેમાં જાણવા મળ્યું છે કે જે લોકો સાર્વજનિક વાહનનો ઉપયોગ કરી રહ્યાં છે તેઓને પણ કોરોનાનો સંક્રમણનો ભય રહે છે. આ સાથે જે લોકો સિક્યોરીટીમાં કામ કરે છે, ઘરમાં કામ કરનાર મેડ, સ્મોકિંગ ન કરનારા અને નો વેજેટિસન્સનો કોરોના સંક્રમણનો ભય વધારે છે. શાંતનુએ જણાવ્યું કે ગત વર્ષે જૂલાઇમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ કહ્યું હતું કે સ્મોકિંગ કરનારાઓના સંક્રમણનો જલ્દી શિકાર થઇ શકે છે. તમાંકુ ઉત્પાદોને લઇને સતર્ક રહેવાનું જણાવામાં આવ્યું હતું.
મંત્રાલય તરફથી જાહેર કરાયેલા દસ્તાવેજ 'કોવિડ-19 મહામારી અને ભારત અને તમાંકુનો ઉપયોગ' માં કહેવામાં આવ્યું હતું કે નિષ્ણાંતો પણ એ માને છે કે સ્મોકિંગ કરનારાઓને કોરોનાનો ભય વધારે રહે છે, અથવા કોરોનાના કારણે મૃત્યું થઇ શકે છે.
IGIBના નિદેશક અને આ સર્વેમાં સામેલ અનુરાગ અગ્રવાલે કહ્યું કે શરીરમાં એવી એન્ટીબોડીઝનું હાજર રહેવું સંક્રમણ અને રિકવરી બંનેના અંતરમાં કરે છે. જો કે કેટલાંક સંક્રમિત લોકોના શરીરમાં બની શકે કે એન્ટીબોડીઝ ન બને.