કોરોના વાયરસના વધતા જોખમને જોતા લોકોને સતત જાગરૂક કરવામાં આવી રહ્યા છે. સાફ-સફાઇ રાખવા ઉપરાંત ખાવા-પીવા પર ધ્યાન આપવા અને ધૂમ્રપાનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. તુર્કીના એન્ટી એડિક્શન ગ્રુપના પ્રમુખે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ધૂમ્રપાન ના કરનાર લોકોની સરખામણીએ ધૂમ્રપાન કરનાર લોકોમાં કોરોના વાયરસ ફેલાવવાનો ખતરો 14 ગણો વધારે છે.
ધૂમ્રપાન શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને નબળી કરે છે
કોરોના વાયરસના ઉપચાર પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે
નશા વિરુદ્ધ લડનાર તુર્કીના ગ્રીન ક્રિસેન્ટ સંગઠનના અધ્યક્ષ પ્રોફેસરે કોરોના મહામારીથી બચવા માટે લોકોને ધૂમ્રપાન છોડવાની અપીલ કરી છે.
એમને કહ્યું, 'તમાકુ અને તમાકુ ઉત્પાદોનો ઉપયોગ કરવાથી કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ વધી જાય છે, એટલા માટે પોતાને બચાવવા હોય તો તમામ નશીલા પદાર્થથી દૂર રહેવું જરૂરી છે.'
પ્રોફેસરે જોર આપતા કહ્યું કે ધૂમ્રપાન શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને નબળી કરે છે અને કોરોના વાયરસના ઉપચાર પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે.
એમને કહ્યું, 'નબળી ઇમ્યૂન સિસ્ટમ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે કારણ કે એમના કારણે સારવારની પ્રક્રિયા લેટ થાય છે. ભલે તમે ક્યારેક ક્યારેક ધૂમ્રપાન કરો છો, આ મહામારીની સારવારમાં અડચણ રૂપ થઇ શકે છે.'
ઘૂમ્રપાન ફેફસાને નુકસાન પહોંચાડે છે અને કફ પ્રતિવર્તને બ્લૉક કરી દે છે. એનાથી વાયરસ અને બેક્ટેરિયા શ્વાસ લેવાના માર્ગે અને ફેફસા પર ચોંટી જાય છે અને ઇન્ફેક્શન ગંભીર થઇ જાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એવુ પણ કહ્યું કે ધૂમ્રપાન કરનાર લોકોની વાયરસના ચપેટમાં આવવાની શક્યતા વધારે છે કારણ કે ધૂમ્રપાન દરમિયાન આંગળીઓ હોઠ પર આવે છે, જેનાથી હાથથી મોઢામાં ઇન્ફેક્શન જવાની શક્યતા વધી જાય છે.
ચીનના ડૉક્ટર દ્વારા કરવામાં આવેલ એક શોધ અનુાર, વૃદ્ધ લોકોની સરખામણીમાં ધૂમ્રપાન કરનાર લોકોમાં મોતનો ખતરો વધારે છે.