રાજકોટ યાર્ડના હોદેદારો માટે પ્રદેશમાંથી આવેલા મેન્ડેડમાં ચેરમેન પદ પર જયેશ બોઘરા અને વાઇસ ચેરમેન પદ પર વસંત ગઢીયાની નિમણુંક. ઠંડાગાર વાતાવરણ વચ્ચે ગરમાવો,બાદમાં વરાળ થઈ ગયો
બેડી માર્કેટિંગ યાર્ડમાં નવા પ્રમુખ-ઉપ પ્રમુખ
સાવલિયાને ઉદાસીનતા ઘેરી વળી; અંતે સમાધાન
યાર્ડના વિકાસને અગ્રીમતા;નવ નિયુક્ત ચેરમેન
સૌરાષ્ટ્રના બીજા નમ્બરના રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેનની આજે વરણી થઈ હતી.ચેરમેન પદ પર જયેશ બોઘરા અને વાઇસ ચેરમેન પદ પર વસંત ગઢીયાની નિમણુંક કરવામાં આવી છે.ગઈકાલે આઠ ડિરેક્ટરો સાથે નારાજ પરસોતમ સાવલિયાએ સંપર્ક કર્યા બાદ જયેશ રાદડિયા મનાવ્યાં હોવાની ચર્ચા હતી
કોઈ જૂથવાદ નહિ ;પૂર્વ મંત્રી રાદડીયા
ઘણા લાંબા સમયથી ચર્ચા બાદ આજે રાજકોટ યાર્ડના હોદેદારો માટે પ્રદેશમાંથી આવેલા મેન્ડેડમાં આ બન્ને નામો ખુલ્યા હતા.જેમાં યુવા ભાજપના નેતા જયેશ બોધરાને ચેરમેન બનાવવામાં આવ્યા હતા.તો વંસત ગઢીયાને વાઇસ ચેરમેન બનાવામાં આવ્યા છે.રામનગર ગામના સરપંચ અને એડવોકેટ છે જયેશ બોધરા.પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરત બોધરાની નજીક માનવામાં આવે છે.જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ પણ બે નામો સૂચવ્યા હતા.જેમાં સિનિયરમાં જો ચેરમેન બનાવવામાં આવે તો પરસોતમ સાવલિયા અને જુનિયરમાં જો ચેરમેન બનવવામાં આવે તો જયેશ બોધરાને સ્થાન આપવામાં આવે.જો કે આ મામલે જયેશ રાદડિયા જણાવ્યુ હતુ કે કોઈ જૂથવાદ નથી.ઉલ્લેખનીય છે કે જયેશ રાદડિયાએ જો ઘી ના ઠામમાં ઘી ન પાડ્યું હોત તો સાવલિયાનો બળવો નક્કી હતો.
CM બદલાયા ક્યાં કોઈને ખબર હતી;સાવલિયા
રાજકોટની અગ્રીમ હરોળની ગણાતી સહકારી સંસ્થા માં પ્રદેશ ભાજપના નેતાઓએ યુવા નેતાઓને સ્થાન આપ્યું છે.અત્યાર સુધી મોટાભાગે ભાજપના સિનિયર નેતાઓ જ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે.યાર્ડના ડીરેકટર પરસોતમ સાવલિયાએ પણ મીડિયા સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે આ બધી ચર્ચાઓ છે. કોઈ નારાજ નથી.પરસોતમ સાવલિયા જ્યારે મીડિયા સાથે વાતચીત કરતા હતા ત્યારે યાડના પૂર્વ ચેરમેન અને જિલ્લા ભાજપના આગેવાન ડી.કે સખિયા પણ મીડિયા સામે આવી ગયા હતા અને નારાજગી ની કોઈ વાત જ નથી તેવો સૂર વ્યકત કર્યો હતો.કે જો કે પરસોતમ સાવલિયા ચહેરા પર સ્પષ્ટ નારાજંગી જોવા મળતી હતી.સાવલિયાએ એમ પણ જણાવ્યું હતું કે સી.એમ પણ બદલાયા કોઈને ખબર હતી.?
આ તકે બેડી યાર્ડમાં નવા વરાયેલા યુવા ચેરમેન જયેશ બોધરાએ જણાવ્યું હતું કે યાર્ડનો વિકાસ કરવામાં આવશે..ખેડૂતોને જેની જરુર હશે તેને પ્રાથમિકતા આપાવામાં આવશે. તેમ કહ્યું હતું