સુરતમાં સર્જાયેલ તક્ષશિલા આગકાંડ બાદ SMCના કમિશ્નરે પત્રકાર પરિષદ યોજી હતી.કમિશ્નર થેનારાસને તક્ષશિલા આગકાંડને લઈ નિવેદન આપ્યું. જેમાં તેમણે ફાયરની ટીમની ખામીઓને લઈને તપાસ થશે તેમ કહ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે તપાસ માટે એક કમિટિ બનાવવામાં આવી હોવાની વાત કરી. જે એક માસમાં રિપોર્ટ તૈયાર કરશે.તેમજ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી લેવાઈ હોવાનું પણ તેમણે કહ્યુ.જેના ભાગરૂપે હાલ શહેરમાં અત્યાર સુધી 6.50 લાખ સ્કવેર ફૂટ ટેમ્પરરી સ્ટ્રક્ચર અને 2500થી વધુ ફ્લેક્ષ બેનર દૂર કરાયા છે.
જ્યારે સમગ્ર ટ્યુશન ક્લાસ બંધ કરાવીને 350 ટ્યુશન ક્લાસીસ સીલ કરી દેવામાં આવ્યા છે. તો 140 ઈમારતોની BU પરમિશન રદ કરાઈ છે.તથા 900 હાઈરાઈઝ સર્વે કરાયા હોવાનું અને તમામ ટેમ્પરરી સ્ટ્રક્ચર દૂર ન થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે તેવી વાત પણ તેમણે કરી.
આ ઉપરાંત ટેમ્પરરી સ્ટ્રક્ચર દૂર નહી કરવા કોઈ રાજકીય દબાણ ન હોવાનું પણ તેમણે કહ્યુ હતું અને જો વારંવાર ગેરકાયદેસર બાંધકામ થશે તો પોલીસ ફરિયાદ પણ થશે. એમ કમિશ્નર થેનારાસને કહ્યુ હતું.