દેશમાં આજે લોકડાઉન છે. લોકોને ઘરમાં જ રહેવાની સરકારે સલાહ આપી છે. કેટલાક લોકો પાલન કરે છે પરંતુ કેટલાક એવા પણ નમૂના છે જે લોકડાઉનમાં પણ બહાર નીકળે છે એ ચેક કરવા માટે કે બધુ બરાબર ચાલે છેને? જ્યારે પોલીસ આવા લોકો સામે કાર્યવાહી કરે તો પોલીસને વાંક કાઢે અને કહે કે પોલીસ જોહુકમી કરે છે. પરંતુ આવા લોકોને અમે કહેવા માગીએ છીએ કે પોલીસ આપણામાંથી જ છે. બીજાની જિંદગી બચે તે માટે તેઓ રોડ પર તમારી સામે કાર્યવાહી કરી રહ્યા છે. માટે તમે પોલીસ અને બીજી અન્ય ઈમરજન્સી સેવાઓને સાથ આપો. હવે આપણે મુદ્દાની વાત પર આવીએ.
ઘર અંદર રહીને જ સ્માર્ટફોન વાપરવો કેટલો હિતાવહ છે?
શું સ્માર્ટફોન વાપરવાથી કોરોનાનો ભય રહે છે?
તમારા મોબાઈલ ફોનમાં કોરોના વાયરસ જીવતો રહી શકે છે ખરા?
તમે તમારા ઘરમાં જ છો અને ઘરમાં ટાઈમ સ્પેન્ડ કરવા માટે જો સ્માર્ટફોન વાપરી રહ્યા છો તો જરા સાવધાન થઈ જશો. આજે મોબાઈલ ફોન મનુષ્યની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. કોઈ એવો વ્યક્તિ નથી કે જેને મોબાઈલ વગર ચાલે. પરંતુ શું તમને ખબર છે સ્માર્ટફોન પણ સુરક્ષિત નથી. હાલ અમે બિલકુલ સાચુ કહી રહ્યા છીએ. સ્માર્ટફોન દિવસમાં અનેક સપાટીઓ અને શરીરના અનેક ભાગને ટચ થાય છે. જેના કારણે કિટાણુ અને વિષાણુ સ્માર્ટફોન પર રહે છે. કોરોના વાયરસનું સંક્રમણ તેજ ગતિથી ફેલાઈ રહ્યું છે. તેના પર વાયરસ હોવાના સવાલ ઉઠી રહ્યા છે. શું ફોનથી કોઈ યૂઝરમાં વાયરસ જઈ શકે છે? આ જવાબ અમે આપીશું. બસ અમારી સાથે જોડાયેલા રહેજો.
વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOની એક સ્ટડી મુજબ ઓરિજનલ SARS-COV એક ગ્લાસ સર્ફેસ પર 96 કલાક એટલે કે 4 દિવસ સુધી રહી શકે છે. આપને જણાવી દઈએ કે સાર્સ વાયરસ 2003માં ફેલાયો હતો. ગ્લાસ સિવાય આ વાયરસ પ્લાસ્ટિક અને સ્ટેનલેસ સ્ટીલ પર પણ લગભગ 72 કલાક રહી શકતો હતો. હવે યૂનાઈટેડ સ્ટેટ્સના નેશનલ ઈસ્ટીટ્યૂટ ઓફ હેલ્થની એક સ્ટડીમાં જાણાવા મળ્યું છે કે કોરોના વાયરસ સ્ટીલ અને પ્લાસ્ટિક જેવી સપાટીઓ પર ત્રણ દિવસ સુધી જીવીત રહી શકે છે.
કોરોના એક કાર્ડબોર્ડ પર 24 કલાક રહી શકે
આ સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું છે કે કોરોના એક કાર્ડબોર્ડ પર 24 કલાક અને કૉપર પર ચાર કલાક ટકી શકે છે. જો કે આ જ સંસ્થાની એક નવી સ્ટડીમાં એ નથી કહેવામાં આવ્યું કે કોરોના ગ્લાસ પર કેટલો સમય રહી શકે છે? પરંતુ બીજા ફેક્ટર જોઈએ તો એ સંકેત મળે છે કે કોરોના પણ સોર્સની સપાટીની માફક ગ્લાસ સર્ફેસ પર પણ ચાર દિવસ ટકી શકે છે. તમે જે સ્માર્ટફોન વાપરો છો તેમાં પ્લાસ્ટિક અને ગ્લાસ બન્નેનો ઉપયોગ થાય છે.
મોટાભાગના સ્માર્ટફોન્સ ફ્રંટ ગ્લાસ પેનલ
કોરોના વાયરસ ગ્લાસની સપાટી પર 96 કલાક જીવતો રહી શકે છે. મોટાભાગના સ્માર્ટફોન્સ ફ્રંટ ગ્લાસ પેનલની સાથે આવે છે. તો એ કહી શકાય કે કોરોના વાયરસ તમારા મોબાઈલ પર ચાર દિવસ સુધી ટકી શકે છે. ન માત્ર સ્માર્ટફોન, પરંતુ કોઈપણ ગેજેટ જે ગ્લાસ સર્ફેલવાળો છે. જેમાં સ્માર્ટવોચ, ટેબલેટ કે પછી લેપટોપ આ બધી જ વસ્તુઓ પર કોરોના વાયરસનો ખતરો છે માટે તને વાપરતા પહેલા તેને વારંવાર સેનિટાઈઝ કરો.
કેવી રીતે કરશો સફાઈ?
મોબાઈલ ફોન સૌથી વધારે વપરાતું સાધન છે. તેથી અમે આપને કહેવા માગીએ છીએ કે તમારા ફોનને વારંવાર સાફ કરો. કારણ કે તેમાં કોરોના વાયરસનો ખતરો રહે છે. હવે તમને થશે કે મોબાઈલ ફોનને સાફ કેવી રીતે કરવાનો? કારણ કે પાણી અને સાબુથી તેને ધોઈ તો ન શકાય. તો અમે આપને જણાવી દઈએ કે તમે તમારા મોબાઈલ કે પછી લેપટોપ, કોમ્પ્યુટર કે પછી સ્માર્ટવોચને સાફ સફાઈ કરવા માટે ક્લિનિંગ લિક્વિડ કે પછી માઈક્રોફાઈબરના કપડાનો ઉપયોગ કરી શકો છો. સૌથી બેસ્ટ એ છે કે તમે આઈસોપ્રોપિલ આલ્હોહોલ સોલ્યૂશનનો ઉપયોગ કરો. પરંતુ એ વાતનું ધ્યાન પણ રાખવું જોઈએ કે એવા સોલ્યૂશનનો ઉપયોગન ન કરીએ જેમાં 70 ટકાથી વધારે આસોપ્રોપિલ હોય. આવા સોલ્યૂશનથી ફોનની ડિસ્પ્લે ખરાબ થઈ શકે છે. તમે ક્રીન પ્રોટેક્ટરનો પણ ઉપયોગ કરી શકો છો. જેનાથી ડિસ્પ્લે કોટિંગ પણ ખરાબ નહીં થાય.