બ્રેકિંગ ન્યુઝ
VTV / Budget / Smaller shopkeepers will be able to take advantage of pension scheme this is the process
vtvAdmin
Last Updated: 04:22 PM, 5 July 2019
ADVERTISEMENT
ન્યૂ દિલ્હીઃ લોકસભા ચૂંટણી દરમ્યાન પીએમ મોદી એક સપનાને નાણાંમંત્રીએ અમલીજામા પહેરાવી દીધું. નાણાંમંત્રીએ જાહેરાત કરી કે નાના દુકાનદારોને પેન્શન આપવામાં આવશે, આ સાથે જ માત્ર 59 મિનીટમાં તમામ દુકાનદારોને લોન આપવાની પણ યોજના છે. આનો લાભ 3 કરોડથી વધારે નાના દુકાનદારોને મળી શકશે. નાણાંમંત્રીએ કહ્યું કે, અમારી સરકાર આ સાથે જ દરેકને ઘર આપવાની યોજના પર આગળ વધી રહી છે.
ADVERTISEMENT
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં નાના દુકાનદારોને માટે પેન્શન યોજનાનું એલાન કર્યુ છે. આ અંતર્ગત દેશનાં 3 કરોડ નાના દુકાનદારોને પેન્શન આપવામાં આવશે. જો કે, પેન્શન યોજનાનો લાભ તે દુકાનદારોને જ મળશે કે જેનું વાર્ષિક ટર્નઓવર 1.5 લાખ રૂપિયા છે.
60 વર્ષની ઉંમર થયા બાદ મળશે પેન્શનઃ
આ પેન્શન યોજના અંતર્ગત છૂટક વેપારી અને દુકાનદારો તથા સ્વરોજગાર કરનારા લોકોને 60 વર્ષની ઉંમર થયા બાદ ઓછામાં ઓછાં 3,000 રૂપિયા માસિક પેન્શન મળી શકે છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ચૂંટણી ઘોષણાપત્રનાં આ વાયદાને પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કરવું પડશે પંજીકરણઃ
18થી 40 વર્ષની વચ્ચેની ઉંમરવાળા લોકોને આ યોજનાનો લાભ મળશે. પેન્શન યોજનામાં શામેલ થનાર લોકો દેશભરમાં ફેલાયેલ 3.25 લાખ સેવા કેન્દ્રો પર પંજીકરણ કરાવી શકે છે. પોતાનાં પહેલા બજેટ ભાષણમાં નાણાંમંત્રી સીતારમણે કહ્યું કે, અમારી સરકારનાં કાર્યકાળમાં MSMEને માટે 350 કરોડની ફાળવણી કરવામાં આવી. આ સાથે જ નાના વેપારીઓને માટે 59 મિનીટમાં લોનની વ્યવસ્થા શરૂ કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.