કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)એ પોતાના લાભાર્થીઓને મેડિકલ સુવિધાનો લાભ આપવા માટે આયુષ્માન ભારત સાથે પાર્ટનરશિપ કરી છે. શ્રમ અને રોજગાર રાજ્યપ્રધાન (સ્વતંત્ર હવાલો) સંતોષકુમાર ગંગવારે જણાવ્યું હતું કે ESICએ PMJAY-આયુષ્માન ભારત સાથે ભાગીદારી કરી છે, જેથી ૧૦૨ જિલ્લામાં ESICના લાભાર્થીઓને મેડિકલ સેવા આપી શકાય.
ESIC આપશે નાના પગારદારોને પણ લાભ
આ નિયમોનું કરવાનું રહેશે પાલન
10થી વધુ કર્મચારીની સંસ્થામાં નિયમ લાગૂ ગણાશે
આ ઉપરાંત અહીં હોસ્પિટલો ખોલવા માટે નિયમોમાં પણ કેટલીક છૂટછાટ આપવામાં આવશે. હવે જ્યાં ૨૦ હજાર આઇપી હોય ત્યાં ૩૦ બેડવાળી હોસ્પિટલ ખોલી શકાશે. આ માધ્યમ દ્વારા ESIC પોતાના ૧૩.૫૬ કરોડ લાભાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
ESIC એક પ્રકારનું મુખ્ય સામાજિક સુરક્ષા સંગઠન છે, જે જરૂરિયાતના સમયે વિસ્તૃત સામાજિક સુરક્ષા જેવી યોગ્ય મેડિકલ સેવા અને રોકડ લાભ ઉપલબ્ધ કરાવે છે. જે સંસ્થામાં ૧૦થી વધુ કર્મચારી હોય ત્યાં ESIC કાયદો લાગુ પડે છે. આ કાયદા હેઠળ જો કોઇ કર્મચારીનો પ્રતિમાસ પગાર રૂ. ૨૧ હજાર સુધી હોય તો તે કર્મચારી હેલ્થ ઇન્સ્યોરન્સ કવર અને અન્ય લાભ મેળવવા હકદાર રહેશે.