રાજ્યમાં કોરોનાકાળ ચાલી રહ્યો છે અને બેડની અછત છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
સાબરકાંઠા: કોરોનાનું સતત વધતું સંક્રમણ
હોસ્પિટલોમાં બેડની અછત
ગામડામાં શરૂ કરાયા કોવિડ કેર સેન્ટર
મળતી જાણકારી પ્રમાણે, સાબરકાંઠા જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને લઈ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જોકે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બેડનો અભાવ વર્તાઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠા ના હિંમતનગરના હડિયોલ ગામે કોવિડ કેર સેન્ટરની શરૂઆત થઈ રહી છે જેને લઈ ગામમાં જ દર્દીઓને પૂરતી સારવાર મળી રહેશે.
ગામમાં જ શરૂ કરાયું કોવિડ સેન્ટર
હાલના તબક્કે જીલ્લા માં કોવિડ સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ હોસ્પિટલમાં પણ બેડનો અભાવ જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓને એડમિટ કરવામાં વેઇટિંગ છે. ત્યારે ગામડાઓમાં જ કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને આઇસોલેટ કરી યોગ્ય સારવાર મળી રહે એ માટે કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે. ગામમાં શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટરમાં તમામ પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવા માં આવી છે. સાથે જ મેડિકલ સ્ટાફ અને ગામના યુવાનો દ્વારા સતત સેવાઓ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ઝીંઝવા ગામમાં કોવિડ કેર સેન્ટરની આજથી શરૂઆત
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હડિયોલ ગામ અને પ્રાંતિજ તાલુકાના ઝીંઝવા ગામમાં કોવિડ કેર સેન્ટરની આજથી શરૂઆત કરવામાં આવી છે. આ ગામમાં 20 બેડની સુવિધા ગોઠવવામાં આવી છે. જેમાં ગામના તબીબ અને પીએચસી સેન્ટરના તબીબ દ્વારા દર્દીઓને મેડિકલ સેવા આપવામાં આવશે. સાથેજ ગામના નર્સિંગના વિદ્યાર્થીઓ પણ સેવાઓ આપશે. તો સવાર-સાંજ જમવાનું, આયુર્વેદિક ઉકાળા, જ્યુસ સહિતની પણ સેવાઓ કોવિડ કેર સેન્ટરમાં આપવામાં આવશે.
ઘર આંગણે સારવા મળી રહે તેવી કરાઇ વ્યવસ્થા
હાલ તો એક શરૂઆત સાબરકાંઠા જીલ્લાના હડિયોલ ખાતે કરવામાં આવી છે અને જેના કારણે દર્દીઓ અહીં થી જ સાત દિવસમાં રીકવર થઈને ઘરે જાય તેવા ઉદેશ્યથી અહીં તમામ સારવાર અપાઈ રહી છે તો તમામ જગ્યાએ આ પ્રકારની કોવિડ કેર સેન્ટર બને તો ચોક્કસ પણે ઘર આંગણે જ સારવાર મળી રહેશે...