અર્થવ્યવસ્થામાં મંદીની વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે કહ્યું કે, ભારતમાં મંદી માટે માત્ર વૈશ્વિક કારણોને જવાબદાર ન ગણાવી શકાય. તેઓએ કહ્યું કે, સુધારાઓના સંકેત દેખાઇ રહ્યા છે. ગવર્નરે વિશ્વાસ અપાવ્યો કે, કેન્દ્રીય બેન્ક મંદી, મોંઘવારી, બેંકોના સ્વાસ્થ્ય અને એનબીએફસીના મુદ્દે તમામ જરુરી પગલા ઉઠાવશે.
શક્તિકાંત દાસે કહ્યું કે, ભારતમાં મંદી માટે માત્ર વૈશ્વિક કારણોને જવાબદાર ન ગણાવી શકાય
ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું, ભારતે મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન આપવુ જોઇએ
રિઝર્વ બેન્કના વડાએ કહ્યું કે, કેન્દ્રીય બેન્કે વિકાસ દરમાં મંદીને જોતા સમય પહેલા પગલા ઉઠાવ્યા અને ફેબ્રુઆરીમાં વ્યાજદરોમાં ઘટાડો કર્યો. તેઓએ કહ્યું કે ગ્રોથ વધારવા માટે વ્યાજદરમાં ઘટાડા ઉપરાંત લિક્વિડિટીને વધારવામાં આવી. રિઝર્વ બેન્ક દ્વારા 1539 કંપનીઓના સર્વેનો હવાલો આપતા તેઓએ કહ્યું કે ઇન્વેસ્ટમેન્ટ સાઇકલ રિવાઇવલના સંકેત આપી રહ્યા છે.
તેઓએ કહ્યું કે, ભવિષ્યમાં આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે બેંકો, કંપનીઓ અને એનબીએફસીમાં બુકકીપીંગ સફાઇની પ્રક્રિયા ચાલી રહી છે. વ્યાજદરમાં આ વખતે ઘટાડો ન કરવા પર તેઓએ કહ્યું, મને નથી ખબર કે નીતિગત વ્યાજદરમાં ઘટાડા પર હાલ રોક લગાવવાથી બજાર કેમ હેરાન છે, આશા છે કે, આ નિર્ણય સમયની સાથે સાચો સાબિત થશે.
મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન આપવું જોઇએ
ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું, ભારતે મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન આપવુ જોઇએ અને ગ્લોબલ સપ્લાઇ ચેનનો ભાગ બનવો જોઇએ. કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી મુળભૂત ઢાંચા પર ખર્ચ આર્થિક વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે.
આરબીઆઇ ગવર્નરે કહ્યું, વૈશ્વિક આર્થિક મંદીને દૂર કરવા માટે તમામ વિકસિત અને ઉભરતી અર્થવ્યવસ્થાઓ દ્વારા સમન્વિત અને સમયબદ્ધ રીતે પગલા ઉઠાવવાની આવશ્યકતા છે. આશા છે કે વ્યાપારને લઇને અમેરિકા-ચીન વચ્ચે સમજ બની રહેશે અને આગળ વધુ મજબૂત બનશે.