25 કરોડ વધુ ફાળવાયા હોવા છતાં કોન્ટ્રાક્ટરના કામ કરવામાં ડખા, બ્રિજ બનાવતા 5 કોન્ટ્રાક્ટ્રોને ફટકારવામાં આવી નોટિસ
રાજકોટમાં બ્રિજના કોન્ટ્રાક્ટરોની અવળચંડાઈ
ધીમી કામગીરીને કારણે મનપાએ ફટકારી નોટિસ
25 કરોડ વધુ ફાળવાયા છતાં કામગીરીમાં ડખા
રાજકોટમાં બ્રિજ બનાવતા કોન્ટ્રાક્ટરોની અવળચંડાઈને કારણે મનપાએ તેમને નોટિસ ફટકારી છે. રાજકોટમાં બ્રિજ બનાવતા કોન્ટ્રાક્ટરને એસ્ટીમેટ કરતા લગભગ ડબલ રૂપિયા ફાળવાયા હોવા છતાં, રાજકોટમાં બ્રિજની કામગીરી પૂર્ણ નથી થઈ રહી. બ્રિજની કામગીરીને લઈ રાજકોટના મેયરે સમીક્ષા બેઠક યોજી હતી.
મેયર નોટિસ આપી છુટ્ટા?
આ બેઠક બાદ 5 બ્રિજના કોન્ટ્રાક્ટરને માત્ર જલ્દી કામગીરી પૂર્ણ કરવાની નોટિસ ફટકારાઈ છે. જેમાં સિવિલ ચોક બ્રિજનું કામ 30 જુલાઈ સુધીમાં પૂરું કરવા તાકીદ કરાઈ છે. પરંતુ મુળ એસ્ટીમેટ કરતા વધારે રૂપિયા લઈને બેસી ગયેલા આ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કોઈ શિક્ષાત્મક કે દંડાત્મક પગલા નથી ભરાયા છે. જેથી મેયરની આ પ્રકારની કાર્યવાહી માત્ર દેખાડો કરવા કરાઈ હોય તેમ જણાઈ રહ્યુ છે.
VTV ગુજરાતીના સળગતા સવાલ
રાજકોટમાં કોન્ટ્રાક્ટરોની અવળચંડાઈ ક્યા સુધી ચલાવી લેવામાં આવશે ?
સમયસર કામગીરી પૂર્ણ ન કરતા કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ પગલા કેમ નથી ભરવામાં આવતા ?
કોન્ટ્રાક્ટરને કામગીરીમાં વધારાના કરોડો રૂપિયા શા માટે ફળવાયા ?
જે બ્રિજનુ એસ્ટિમેટ 59.23 કરોડ હતુ તે વધીને રૂ.109.67 કરોડ કેવી રીતે પહોંચ્યુ ?
જનતાના ટેક્સના પૈસાની આ રીતે લ્હાણી કેમ કરવામાં આવી રહી છે ?
મનપા દ્વારા કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ દંડાત્મક પગલા કેમ ભરવામાં નથી આવતા ?
શુ કોન્ટ્રાક્ટર સા્થે મનપાના સત્તાધિશોની મિલિભગત છે ?
બ્રિજનું મુળ એસ્ટીમેટ પણ વધારી દેવાયું..!
બ્રિજની ધીમી કામગીરીને કારણે મનપાએ ગતમાસે કોન્ટ્રાક્ટરને રૂપિયા 25 કરોડ વધુ ફાળવ્યા હતા. જેથી સિવિલ ચોક બ્રિજનું મુળ એસ્ટીમેટ 59.23 કરોડથી વધી રૂપિયા 109.67 કરોડ રૂપિયાએ પહોંચી ગયુ છે. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં ડખા કરવામાં આવી રહી છે. બ્રિજની કામગીરીમાં મનમાની કરી રહેલા કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કોઈ દંડાત્મક પગલા નથી ભરવામાં આવ્યા, જેથી મનપાના સત્તાધિશો પર પણ સવાલો ઉઠી રહ્યા છે.