મધ્યપ્રદેશના ઉજૈનમાં મહોર્રમના દિવસે અમુક યુવકોએ પાકિસ્તાન જિંદાબાદના નારા લાગવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી સમગ્ર મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ઉજ્જૈનમાં લાગ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા
પોલીસે કરી 4 આરોપીઓની ધરપકડ
10 લોકો સામે રાજદ્રોહનો ગુનો દાખલ
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં દેશ વિરોધી નારા લાગવાનો મામલો સામે આવ્યો છે. થાના ખારા કુંવા ક્ષેત્રમાં મોહર્રમથી એક દિવસ પહેલા અહિયા તાજિયા ભ્રમણ વખતે ભીડ દ્વારા પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમની સામે પોલીસે કાયદેસરના પગલા ભર્યા છે.
આરોપીઓ સામે રાજદ્રોહનો ગુનો દાખલ
કુલ 10 લોકોની આ મામલે ઓળખ કરવામાં આવી છે. જેમની સામે રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો છે. કોરોના માહામારીને કારણે પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની રેલી કે જૂલુસ કાઢવાની મનાઈ છે. જોકે પ્રત્યક્ષદર્શિઓનું કહેવું છે કે અમુક યુવકો દ્વારા મોહર્રમ પર ઘોડો નિકાળવાની માગ કરવામાં આવી હતી.
ઘોડો નિકાળવાની ના પાડતા નારા લગાવ્યા હતા
જોકે પ્રશાસન દ્વારા ઘોડો નિકાળવાની અનુમતી આપવામાં નહોતી આવી. જેને લઈને તે યુવકોએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. જોકે પોલીસ ત્યા પહોચી તો નારા લગાવનારા યુવકો નાસી છૂટ્યા હતા. પરંતુ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફુટેજને આધારે 10 લોકોની ઓળખાણ કરી લીઘી છે. જેમની સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
કુલ 4 આરોપીઓની ધરપકડ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસ દ્વારા કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથેજ પોલીસે બાકીના યુવકોની ધરપકડ કરી રહી છે. જોકે પોલીસનું કહેવું છે કે યુવકો દ્વારા તાલિબાન સંબંધિત કોઈ નારા લગાવામાં નથી આવ્યા. બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે તેમણે આ ઘટનાને લઈને કડક પગલા લીધા છે. સાથેજ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.