સારી તંદુરસ્તી માટે સારી ઉંઘ ખૂબ મહત્વની છે પરંતુ સૂવા માટેનો સમય પણ યોગ્ય હોવો જોઈએ. ખોટા સમયે ઊંઘવાથી આરોગ્યની સમસ્યાઓ થાય છે તેમજ ધર્મના દ્રષ્ટિકોણથી તે કમનસીબ ગણવામાં આવે છે. જે ગ્રંથોમાં વર્જીત સમય પર ઊંઘે છે તેઓને દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થતી નથી. ભવિષ્યપુરાણ અનુસાર દિવસનાં આ 3 સમયે આપણે ઊંઘવું ન જોઈએ.
ઊંઘ માટેનો પ્રથમ ખોટો સમય -
મહાલક્ષ્મી સૂર્યોદય પછી પણ લાંબા સમય સુધી ઊંઘનારાઓથી રિસાઈ જાય છે. ગ્રંથો પ્રમાણે આવા લોકો પાસે ગમે તેટલાં નાણાં હોય પણ તેઓ સંતુષ્ટ નથી હોતા. તેમને હંમેશા માનસિક તાણનો સામનો કરવો પડે છે. લાંબા જીવન સુધી તે તંદુરસ્ત રહી શકતા નથી. લક્ષ્મી-કૃપા વગર ઘરમાં પૈસા નથી આવતાં.
આપણે સૂર્યોદય પહેલા જાગી જ જવું જોઈએ. આ આરોગ્ય માટે એક વરદાન સમાન છે. બ્રહ્મ મુહૂર્તનો વિશેષ મહિમા છે. આ સમયની તાજી હવા અનેક રોગો અટકાવે છે. આ કારણોસર સવારે ચાલવું અને વ્યાયામ કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે.
ઊંઘનો બીજો ખોટો સમય -
ઊંઘવાનો બીજો ખોટો સમય બપોરનો છે. ગ્રંથો અનુસાર તેને અપશુકન ગણવામાં આવે છે. જેને પણ સ્વાસ્થ્ય માટે નુકસાનનું કારણ ગણાય છે. જે દિવસે ઊંઘે છે તેઓ સ્થૂળતાનો ભોગ બને છે.
બપોરે ઊંઘવાથી પાચનતંત્ર કથળે છે જેથી કબજિયાત ગેસ અપચો વગેરે જેવા પેટ-સંબંધિત ઘણા રોગો થાય છે. તેથી બપોરનો સમય કામ કરવા માટે શ્રેષ્ઠ છે તેથી આ સમયે કામ કરવું જોઈએ.
સુવાનો ત્રીજો ખોટો સમય -
ઊંઘનો ત્રીજો ખોટો સમય સૂર્યાસ્તનો સમય છે. સૂર્યાસ્ત એ દેવી-દેવતાઓની પૂજા કરવાનો સમય છે. આ સમયે ઊંઘનાર વ્યક્તિ કુદરતની કૃપા મેળવી શકતી નથી. શાસ્ત્રો અનુસાર જેઓ સાંજે સુઈ જાય છે તેઓ ઘણા પ્રયત્નો પછી પણ સફળતા હાંસલ કરી શકતા નથી.
એક પ્રાચીન માન્યતા છે કે સૂર્યાસ્ત સમયે બધા દેવી-દેવતાઓ પૃથ્વીની આસપાસ પ્રવાસ કરે છે. આ સમય દરમિયાન કર્મ કર્યા વિના આળસને કારણે ઊંઘી રહેલા લોકો કમનસીબીનો શિકાર બની શકે છે.
માત્ર આ લોકોને જ ખોટા સમયે ઊંઘવાથી દોષ લાગતો નથી -
બીમાર વ્યક્તિ વૃદ્ધ અથવા સગર્ભા સ્ત્રી હોય તો તે દિવસ દરમિયાન કોઈ પણ સમયે ઊંઘી શકે છે. તેમને કસમયે ઊંઘવાથી કોઈ દોષ નથી લાગતા પણ જો કોઇ કારણ વગર ઊંઘે તો તે શુભ નથી ગણાતું.