રાજકોટમાં નાનામવા રોડ પાસે જીવરાજપાર્ક નજીક બિલ્ડીંગની છત ધરાશાયી થતા બે શ્રમિકોના કમકમાટી ભર્યો મોત નિપજ્યા, એક શ્રમિકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો
રાજકોટમાં બિલ્ડીંગના રિનોવેશન દરમિયાન બની દુર્ઘટના
ચોથા મોળેથી સ્લેબ ધરાશાયી થતા બેના મોત,એકને ઈજા
મનપા દ્વારા બાંધકારમ 5 દિવસ પહેલા જ અપાઇ હતી નોટીસ
રાજકોટમાં નાનામવા રોડ પાસે જીવરાજપાર્ક નજીક બિલ્ડીંગની છત ધરાશાયી થતા બે શ્રમિકોના કમકમાટી ભર્યો મોત નિપજ્યા હતા. બિલ્ડીંગના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક સ્લેબ ધરાશાયી થતા શ્રમિકો દબાઈ ગયા હતા જેમાં એક શ્રમિકને કાળમાળ નીચે દબાઈ જતા ફાયર બ્રિગેડ દ્વારા તેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જ્યારે બાકી રહેલા બે શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
બિલ્ડીંગની છત ધરાશાયી થતા બે લોકોના મોત
મહત્વનું છે કે રાજકોટ મનપાની ગેરકાયદેસર બાંધકામની નોટીસ હોવા છતા ફરી બાંધકામ શરૂ કરવામાં આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અચાનક ચોથા માળેથી બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થતા તેના કાટમાળ નીચે ત્રણ જેટલા શ્રમિકો દબાઈ ગયા હતા જ્યારે બે શ્રમિકોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી, ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી ફાયરબ્રિગેડના જવાનોએ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી એક શ્રમિકને બચાવી લીધો હતો જ્યારે અન્ય બે શ્રમિકોના ઘટનામાં મોત નિપજ્યા હતા.
મનપા દ્વારા બાંધકારમ 5 દિવસ પહેલા જ અપાઇ હતી નોટીસ
ઘટના જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. જ્યારે બે શ્રમિકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જીવરાજપાર્કમાં અંબિકાટાઉનશીપમાં બિલ્ડીંગનું રિનોવેશન ચાલી રહ્યું હતું તે દરમિયાન ચોથા માળે સ્લેબ ખોલતા અચાનક સ્લેબ માથે પડતા બે મજૂરના મોત નીપજ્યા હતા. ઘટનાને લઈ સમગ્ર મામલે પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બિલ્ડીંગને ગેરકાયદેસર બાંધકામને લઈ નોટીસ અપાઈ હોવા છતા વધારાનું બાંધકામ કરવામાં આવતા પોલીસે આ મામલે પણ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે.