પોરબંદરનું ઘેડ પંથક ચોથા દિવસે પણ પાણી થી તરબોળ જોવા મળી રહ્યું છે ત્યારે ચીકાસા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે
ઘેડ પંથકનું ચીકાસા ગામ પાણી પાણી
ઘેડ પંથક ચોથા દિવસે પણપાણીથી તરબોળ
ચીકાસા ગામ ના આકાશી દર્શયો સામે આવ્યો
પોરબંદરનું ઘેડ પંથક ચોથા દિવસે પણ પાણી થી તરબોળ જોવા મળી રહ્યું છે ત્યારે ચીકાસા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, ચીકાસા ગામ ના ઘરો અને ખેતરો પાણી થી તરબોળ જોવા મળી રહ્યા છે તેમજ લોકોના ઘરમાં કમર સમાં પાણી ભરાયેલા છે. જો કે ઘર માં પાણી ભરાતા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયા છે. તેમજ ખેતરો માં પાણી ઘુસી જતા મગફળી, એરંડા,જુવાર,સહિત ના પાક નું નિકંદન નીકળું ગયું છે.
ચીકાસા ગામ ના આકાશી દર્શયો સામે આવ્યો
મહત્વનું છે કે બે દિવસ પહેલા વિસાવદર પંથકમાં 18 ઈંચ જેટલો વરસાદ પડતા ઓઝત નદીમાં ભારે પુર આવ્યું હતું જેને પગલે જારો વીઘા જમીનનું ધોવાણ થયું હતું. આ ઉપરાંત ઉભા પાકને પણ નુકસાન થયું હતું. મહત્વનું છે કે દરવર્ષે ઘેડમાં ઉપરવાસમાં થતા ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં જળબંબાકાર સ્થિતિ થઇ જાય છે અને ખેડૂતોએ ખર્ચ કરી વાવેતર કરેલા પાક પર પુરના પાણી ફરી વળતા તે નિષ્ફળ જાય છે. જેના લીધે ખેડૂતોને ભારે નુકશાન ભોગવવું પડે છે.
ઘેડ પંથક ચોથા દિવસે પણપાણીથી તરબોળ
વિસાવદર પંથકમાં 18 ઇંચ જેટલો વરસાદ ખાબકતા મોટાભાગના ડેમ ઓવરફલો થઈ ગયા હતા તેમજ ડેમના દરવાજા ખોલવામાં આવતા ઓઝત નદીમાં ભારે પુર આવ્યું હતું જેના કારણે આ પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યા હતા એટલું જ નહીં કેશોદ તાલુકાન બામનાસા, બાલાગામ, પંચાળા, વંથલી, માણાવદર અને માંગરોળ તાલુકાના ઘેડ પંથકના ગામડાઓમાં આ પૂરના પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે ખેડૂતોએ કરેલા પાળા પુરના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગયા તેમજ હજારો વીઘા જમીનનું ધોવાણ થયું હતું
દર વર્ષે માછવારાના 50 યુવાનો જોડાય છે રાહત કામગીરીમાં
પોરબંદરના ઘેડ પંથકમાં પુર જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે પુર જેવી પરિસ્થિતિમાં ગોસા ગામનો સેવાભાવી માછવારા પરિવાર દર વર્ષે બચાવ અને રાહત કામગીરી માં જોડાય છે. જે વિસ્તારો માં એન.ડી.આર.એફ.ની ટીમ પહોંચી નથી શકતી તેવા વિસ્તારો માં આ પરિવાર પોતાના અનુભવ ને પગલે પહોંચી લોકોના જીવ બચાવે છે મહત્વનું છે કે આ પરિવાર છેલ્લા 150 વર્ષ થી ગોસા ગામે વસવાટ કરે છે. માછવારા પરિવારના 50 યુવાનો દ્વારા વર્ષે પુર ની પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીમાં નિસ્વાર્થ ભાવે જોડાય છે તેઓ પોતાની હોડીઓ દ્વારા બચાવ અને રાહત કામગીરી કરે છે. બે દિવસે પૂર્વે નેરાણા ગામ નજીક પાણી માં ફસાયેલા યુવાન ને આ પરિવાર દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડ્યો હતો તો પાણી માં ફસાયેલ એક ભેંસનું રેસ્કયુ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે માછવારા પરિવારની આ કામગીરીને પોરબંદરવાસીઓ બિરદાવી રહ્યાં છે.