બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચ દ્વારા જાતીય શોષણના એક કેસમાં ચુકાદો આપવામાં આવ્યો હતો કે અંગત અંગોનો કોન્ટેક્ટ ન થાય તો POCSO act હેઠળ સજા ન થઈ શકે.
POCSO act મુદ્દે સુપ્રીમનો મહત્વનો ચુકાદો
સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ જરૂરી?
સજા આપવામાં મોટી તકલીફ
સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ વિના POCSO act લાગુ કરવામાં નહીં આવે. આ મામલે સુપ્રીમ કોર્ટ ગુરુવારે મહત્વનો ચુકાદો આપશે.
સર્વોચ્ચ અદાલતે ગુરુવારે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને રદ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ત્વચા-થી-ત્વચાના સંપર્ક વિના સગીરાનાં અંગોને સ્પર્શ કરવો એ જાતીય સતામણી તરીકે વ્યાખ્યાયિત કરી શકાય નહીં. સુપ્રીમે તેને પટલાવતા કહ્યું હતું કે તે પણ જાતીય સતામણીમાં ગણી જ શકાય.
જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ બેલા ત્રિવેદીની ત્રણ સભ્યોની બેન્ચે કહ્યું કે શરીરના કોઈપણ ભાગને "ખોટા ઈરાદાથી" સ્પર્શ કરવો એ POCSO એક્ટનો કેસ ગણાશે. કોર્ટે કહ્યું કે એવું ન કહી શકાય કે બાળકને કપડાની ટોચ વડે સ્પર્શ કરવો એ યૌન શોષણ નથી. આવી વ્યાખ્યા બાળકોને શોષણથી બચાવવાના POCSO કાયદાના ઉદ્દેશ્યને નિષ્ફળ બનાવી દેશે.
આ ઉપરાંત આ કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયેલા આરોપીઓને સર્વોચ્ચ અદાલતે દોષિત ઠેરવ્યા હતા. આરોપીને પોક્સો એક્ટ હેઠળ ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
જસ્ટિસ યુયુ લલીત, જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ બેલા ત્રિવેદીની બેન્ચ દ્વારા આ મામલે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ 30 સપ્ટેમ્બરે જ ચુકાદો નક્કી કરવામાં આવ્યો હતો.
બોમ્બે હાઇકોર્ટના એક ચુકાદા બાદ ઉઠ્યો મુદ્દો
બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચ દ્વારા જાતીય શોષણના એક આરોપી વિષે પોકસો એક્ટ હેઠળ ચુકાદો આપતા જણાવ્યું હતું કે અંગત અંગોનો સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ ન થાય તો POCSO act હેઠળ સજા ન થઈ શકે. એટર્ની જનરલ કેકે વેણુગોપાલે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો હતો.
સજા આપવી મુશ્કેલ
આ મામલે સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ કેકે વેણુગોપાલને અરજી દાખલ કરવા માટે કહ્યું હતું. ફરી આ મુદ્દે સમર્થન કરતાં મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગ, મહારાષ્ટ્ર સરકાર સહિત અન્ય પક્ષકારો તરફથી થયેલી યાચિકાઓ પર સુનાવણી થઈ હતી. 30 સપ્ટેમ્બરે આ મામલે સુનાવણી પૂરી થઈ હતી.
સજા આપવામાં મોટી તકલીફ
આ દરમિયાન અરજી કરનાર લોકોએ કોર્ટમાં કહ્યું હતું કે હાઈકોર્ટના ચુકાદાનો મતલબ એ થાય છે કે જો જાતીય શોષણ થાય તો આરોપી અને પીડિતા વચ્ચે સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ થવો જોઈએ. એટર્ની જનરલે કહ્યું હતું કે આ મામલે ફેરફાર આવે વિચાર કરવાની જરૂર છે. આ રીતે તો વ્યાભીચારીઓને છૂટો દોર મળી જશે અને સજા આપવામાં મોટી તકલીફ ઊભી થશે.
હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો અંતિમ નિર્ણય આવ્યા બાદ જ જાણી શકાશે કે POCSO act હેઠળ સજાની જોગવાઈ મુદ્દે કાયદામાં કોઈ ફેરફાર થાય છે કે અર્થઘટનમાં ફેરફાર કરવામાં આવે છે.